નવી દિલ્હી : દિલ્હી -એનસીઆરમાં ફટાકડાનાં વેચાણ પર પ્રતિબંધથી પ્રદૂષણ ઘટ્યું ? જવાબ હજી પણ હવામાં જ છે. પ્રદુષણ પર કાબુ મેળવવા માટે સુપ્રીમ કોર્ટે દિલ્હી - એનસીઆરમાં ફટાકડાનાં વેચાણ પર પ્રતિબંધ લાદ્યો હતો. જો કે આ પ્રતિબંધનો ફાયદો દિલ્હીને મળ્યો હોય તેવું નથી લાગી રહ્યું. હવામાં પ્રદુષણનાં કારણે વાતાવરણ ઝાંખુ થયેલું જોવા મળે છે. આંકડાઓની પણ વાત કરીએ તો ગત્ત વર્ષે દિવાળીથી પ્રદૂષણ ઘટ્યું તો પરંતુ તેમાં કોઇ ઉલ્લેખનીય ઘટાડો નથી જોવા મળ્યો.
એક્શન એન્ડ ઇન્ટરનેશનલની સાથે ગ્લોબલ વોર્મિંગ મુદ્દે કામ કરનારા એક એનજીઓએ જણાવ્યું કે સેન્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એર ક્વોલિટી ઇન્ડેક્સથી પ્રદૂષણને માપતા હોય છે. તેમનું કહેવું છે કે દિવાળીની રાત્રે એર ક્વોલિટી ઇન્ડેક્સ 319 છે અને આ જ ઇન્ડેક્સ ગત્ત દિવાળીએ 431 પર હતો.
* સામાન્ય રીતે 300-400 વચ્ચે પ્રદુષણનો દર હોય તો તેને ખુબ જ ખતરનાક માનવામાં આવે છે. જે ગત્ત વર્ષે 431 હતો તો આ વર્ષે 319 પર હતો. ગત્ત વર્ષની તુલનાએ આ આંકડો સુધર્યો જરૂર છે. પરંતુ ખતરનાક સ્તર પર જ છે.
* પ્રદુષણ કંટ્રોલ બોર્ડનાં આંકડા કહે છે કે સાંજે છ વાગ્યા સુધી વાયુ અને અવાજનું પ્રદુષણ ઓછું હતું પરંતુ રાત્રે 11 વાગ્યે તે ખુબ જ વધી ગયું હતું. દિલ્હી પોલ્યુશન કંટ્રોલ કમિટી અનુસાર 20 ઓક્ટોબર સવારે 7.25 વાગ્યે મેજર ધ્યાનચંદ સ્ટેડિયમનાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન પર પાર્ટિકુલેટર મેટર PM 2.5 લેવલ 985 µg/m3 રહ્યું.