નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે ભાજપ કાર્યકારિણીને સંબોધિત કરતાં કહ્યું કે દેશે ભાજપને ઘણું બધું આપ્યું છે. રાજ્યમાં સરકાર કેન્દ્રમાં સરકાર છે. હવે અમારી ખૂબ જ જવાબદારી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને શુભેચ્છા પાઠવતાં એમણે કહ્યું કે શૌચાલયની ઇજ્જતઘર રાખીને એમણે ઘરની ઇજ્જતનું પ્રતીક બનાવ્યું છે.
પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓને સલાહ આપતાં એમણે કહ્યું કે કોઇ જન ભાગીદારીની કોઇ યોજના સફળ થઇ શકશે નહીં. ચૂંટણી 3 વર્ષ અથવા 5 વર્ષમાં થશે. એની રાહ જોશો નહીં. જનતાની વચ્ચે સત્તા સુખ માટે નહીં પરંતુ સેવા માટે રહો.
આ પહેલા કાર્યકારિણીને સંબોધિત કરતાં ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે પાર્ટી 2019ની સામાન્ય ચૂંટણીમાં જોરદાર જીત મેળવશે. શાહે કેરલ અને પશ્વિમ બંગાળમાં થઇ રહેલી રાજકીય હિંસાની પણ ટીકા કરી.
કાર્યકારિણીમાં ડોકલામ મુદ્દા પર સરકારના વલણને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ધન્યવાદ આપ્યું હતું. કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરએ સરકારની આંતરરાષ્ટ્રીય કૂટનીતિક સફળતાનો કરાર આપ્યો. સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ બુલેટ ટ્રેને એક મોટી ઉપલબ્ધિ કહેવામાં આવી.