અમરેલીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમરેલી સાવરકુંડલાના રોડ પર આવેલ અધતન માર્કેટયાર્ડનું લોકાર્પણ કરવા પહોંચ્યા છે. રૂ.125 કરોડના ખર્ચે 80 વીઘામાં બનાવાયેલ યાર્ડમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે. માર્કેટયાર્ડમાં આધુનિક લેબ વેપારીઓ ખેડૂતો માટે તમામ સુવિધાઓ હશે. યાર્ડમાં આવનાર ખેડૂતોને વિના મુલ્યે ભોજન અને રહેવાની પણ સુવિધા કરાઇ છે.
વેપારીઓ કોઇપણ સ્થળેથી માલ ખરીદી વેચી શકે તેવી સગવડો હશે. ખેડૂતો અમરેલી જિલ્લાની બહારથી ખરીદી કરીને માલ વહેંચી શકશે. આવનાર દિવસોમાં અમરેલીના ખેડૂતોને અધતન માર્કેટથી ખુબ જ ફાયદો થશે. માર્કેડયાર્ડ તરફથી લોકાર્પણ સમયે બહેનો અને દિવ્યાંગ બાળકો દ્વારા બર્થડે કેક કાપવામાં આવશે.