દશેરાના તહેવારને ધ્યાનમાં રાખી ફૂડ વિભાગ સક્રિય બન્યું છે. સામાન્ય રીતે વાર તહેવારમાં વધુ નફાની લ્હાયમાં વેપારીઓ દ્વારા ખાણી પીણીની ચીજ વસ્તુઓમાં ભેળસેળ કરવામાં આવતી હોય છે.
લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે નવસારીમાં ફૂડ વિભાગ સક્રીય બન્યું હતું. ફૂડ વિભાગ દ્વારા જલેબી ફાફડાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જો કે ફૂડ વિભાગની કામગીરીને લઈને વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો.