બ્રેકિંગ ન્યુઝ
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો
ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે
કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ
આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
VTV / બિઝનેસ / મ્યુચ્યુઅલ ફંડના નવા KYC નિયમોથી છો પરેશાન? તો રોકાણકારોએ ટેન્શન લેવાની જરૂર નથી, અપનાવો આ ટિપ્સ
Last Updated: 04:11 PM, 27 April 2024
મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો માટે નવેસરથી KYC નુયમો ફરજીયાત કર્યા બાદથી જ તેમને ઘણા મોર્ચા પર સતત મુશ્કેલીઓનો શિકાર થવું પડી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેનો ઉપાય છે. બની શકે તેના માટે કોઈ સિમ્પલ રીત સામે આવે. ડિઝિલોકર, એસએમએસ દ્વારા સિંપલ લિંક, ઓટીપી બેસ્ડ Re-KYC વગેરે હેઠળ 2-3 મિનિટની સિમ્પલ પ્રોસેસથી તેનો ઉપાય શોધવામાં આવશે. જાણો સંપૂર્ણ ડિટેલ્સ.
શું છે સમગ્ર મામલો?
સેબીએ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે નવેસરથી KYC જરૂરી કરી દીધુ છે. 1 એપ્રિલથી પ્રભાવીત નવા નિયમો હેઠળ રોકાણકારને મ્યુચ્યુઅલ ફંડમાં લેવડ-દેવડ કરવા માટે ખાસ માપદંડોની જરૂર હોય છે. રોકાણકારોને KYC પ્રક્રિયાને ઓફિશ્યલ રીતે લીગલ દસ્તાવેજો, મુખ્ય રીતે આધાર સાથે નજીકના AMC?RTA શાખાઓમાં જમા કરીને અપડેટ કે પછી KYC કરવા માટે કહેવામાં આવ્યું છે.
પરંતુ નિયમોથી અજાણ ઘણા રોકાણકાર Re-KYCની સમય મર્યાદા બાદ નવુ રોકાણ કરવામાં અસમર્થ થઈ ગયા છે. અમુકના KYC સ્ટેટસ જ ઈનવેલિડ થઈ ગયા કારણ કે તે રજીસ્ટ્રેશનના સમયે આપેલા ડોક્યુમેન્ટ્સથી મેચ નથી કરતા. જે રોકાણકારોએ સાત લિલગ દસ્તાવેજોના ઉપરાંત કોઈ અન્ય દસ્તાવેજનો ઉપયોગ કરીને પોતાનું રજીસ્ટ્રેશન કર્યું હતું તેમના KYCને હોલ્ડ કરી દેવામાં આવ્યા છે.
શું છે મુશ્કેલી?
મ્યુચ્યુઅલ ફંડ એક્સપર્ટ્સ અનુસાર આ Re-KYC પ્રક્રિયામાં ઘણી શરતો જોડાયેલી છે. તેને પુરી ન કરી શકવાના કારણે રોકાણકારોના ફ્રેશ રોકાણ માટે કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શન રિજેક્ટ થઈ રહ્યા છે. ઘણા રોકાણકારના યુનિટ રિડંપશન પણ રોકાઈ રહ્યા છે. હાલ SIPના બાઉન્સ થવાની ફરિયાદ પણ આવી રહી છે. તેનાથી ફંડ હાઉસને ઈનફ્લો પર પણ અસર થઈ રહી છે.
નવા નિયમ હેઠળ KYCમાં આધાર કાર્ડ જરૂરી હોવાના કારણે NRIને નવા અસેટ મેનેજમેન્ટ કંપનીઓની સાથે એકાઉન્ટ ખોલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેને લઈને અસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયાએ સેબીની સાથે ચર્ચા કરી છે.
રોકાણકારોએ શું કરવું?
PPFAS MF CIO રાજીવ ઠક્કરના જણાવ્યા અનુસાર રોકાણકારોએ ચિંતા કરવાની જરૂર નથી. નવેસરથી KYC કરવા માટે સેબી સાથે વાતચીત ચાલી રહી છે. તેની કોઈ સરળ રીત સામે આવશે. વિજય મંત્રીએ જણાવ્યું કે રોકાણકાર પોતાનું KYC પહેલા ચેક કરી લે કે તે વેલિડેટ છે કે નહીં. આધાર અને પાનને લિંક કરી લો. બન્ને પર નામ સેમ હોવું જરૂરી છે. તેનું પણ ધ્યાન રાખે.
વધુ વાંચો: સોનાના ભાવમાં થઈ રહ્યો છે ઘટાડો, જાણો શું છે લેટેસ્ટ રેટ
જો તમારૂ KYC સ્ટેટસ વેલિડેટેડ છે તો તેનો મતલબ છે કે તમે દસ્તાવેજ સોપ્યા હતા તેની તપાસ કરી લેવામાં આવી છે. હવે ફક્ત પાન અને આધારને આ પ્રકારે વેલિડેટ કરી શકાય છે. જો તને KYC માટે આ દસ્તાવેજ આપ્યા છે તો તમારૂ સ્ટેટસ વેલિડેટ થવાની સંભાવના છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ચૂંટણી અપડેટ્સ / મતદાન બાદ નીતિન પટેલે કર્યો મોટો દાવો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ