બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદમાં ઘૂસ્યા ચાર આતંકીઓ
વડોદરામાં માત્ર બે જ દિવસમાં 9 લોકોના મોત
ઈરાનના રાષ્ટ્રપતિનું મોત
આજે PM મોદીનો રોડ શો
અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન
આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
VTV / ભારત / અંતે હડતાળ ખતમ: માત્ર 10 કલાકમાં જ Air India Expressનો યુટર્ન, 25 કર્મચારીઓના ટર્મિનેશન લેટર લીધા પરત
Last Updated: 08:16 PM, 9 May 2024
એર ઈન્ડિયા એક્સપ્રેસની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. એરલાઈને તમામ બરતરફ કરાયેલા કેબિન ક્રૂ સભ્યોને ફરીથી પાછા લેવા માટે સંમત્તી દર્શાવી છે. અત્રે જણાવીએ કે, તમામને તાત્કાલિક પાછા લેવા માટે આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે કર્મચારીઓ પણ કામ પર પાછા ફરવા સંમત થયા છે. મુખ્ય શ્રમ આયુક્ત દ્વારા આજે બપોરે 2 વાગ્યે બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં એર ઈન્ડિયા એક્સપ્રેસ મેનેજમેન્ટ અને વિરોધ કરી રહેલા ક્રૂઓ વચ્ચે બેઠક થઈ હતી.
ADVERTISEMENT
Air India Express reaches an agreement with the crew members addressing their all concerns. Both the crew and management members have agreed to restore normal airline operations. The termination of 25 crew members of Air India Express has also been overturned. pic.twitter.com/mM8NnmB4gB
— ANI (@ANI) May 9, 2024
કર્મચારીઓને ટર્મિનેશન લેટર આપી દેવામાં આવ્યા હતા
ADVERTISEMENT
એર ઈન્ડિયા એક્સપ્રેસે 'સિક લીવ' પર ગયેલા કર્મચારીઓને ટર્મિનેશન લેટર આપવામાં આવ્યા હતા. એર ઈન્ડિયાએ આવા કર્મચારીઓને ઓપરેશનમાં ખલેલ પહોંચાડવા અને નિમણૂકના નિયમો અને શરતોનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત માનીને બરતરફીની નોટિસ આપી હતી.
કર્મચારીઓ નારાજ !
એર ઈન્ડિયાની કંપની એર ઈન્ડિયા એક્સપ્રેસના કર્મચારીઓ એરલાઈનથી નાખુશ છે. એક અહેવાલ મુજબ ક્રૂ મેમ્બરોએ એરલાઈન પર ગેરવહીવટનો આરોપ લગાવ્યો છે. એર ઈન્ડિયાના મર્જરની પ્રક્રિયા શરૂ થતાં કંપની અને કર્મચારીઓ વચ્ચે વિવાદ વધી ગયો હતો. કેટલાક કેબિન ક્રૂ મેમ્બરોએ પણ આ એરલાઇન પર ભેદભાવનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત કર્મચારીઓએ પગાર ભથ્થા અંગે પણ નારાજગી વ્યક્ત કરી છે
શું હતો સમગ્ર મામલો ?
એર ઈન્ડિયા એક્સપ્રેસની 70થી વધુ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઈટ્સ રદ કરવામાં આવી. ટાટા ગ્રૂપની એરલાઇનના પ્રવક્તાએ એક નિવેદન જાહેર કરીને દેશવાસીઓને આ જાણકારી આપી હતી. ફ્લાઈટ કેન્સલ થવાનું કારણ અચાનક રજા પર ગયેલા ક્રૂ મેમ્બર્સ હોવાનું કહેવાયું હતું. મંગળવારની રાતથી બુધવારની સવારની વચ્ચે આ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT