સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રધાનમંત્રી મોદી માટે પ્રતિષ્ઠાનો જંગ બની છે. ત્યારે PM મોદીનો ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવવાનો 4 દિવસીય કાર્યક્રમ ઘડી કાઢ્યો છે. જે મુજબ પીએમ મોદી 27 નવેમ્બરે ભૂજ અમરેલી અને કામરેજનો પ્રવાસ કરી શકે છે.
તો 29 તારીખે નવસારી ભરુચ જૂનાગઢ અને ભાવનગરમાં મતદારોને સંબોધન કરીને ભાજપની વિકાસ ગાથાને ફરી એકવાર રજૂ કરી શકે છે. 3 ડિસેમ્બરે સૌરાષ્ટ્રમાં તલાલા રાજકોટ અને મોરબી તો મધ્યગુજરાતમાં અમદાવાદમાં સભા અને સરઘસ યોજશે.
4 ડિસ્મ્બરે સુરેન્દ્ર નગર પાલિતાણા જામનગર અને જસદણનો પ્રવાસ કરે તેવી રીતે કાર્યક્રમને ઓપ આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરે બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા હતા. 17 સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદી તેમના જન્મદિનની ઉજવણી ગુજરાતમાં કરી હતી. મોદીએ તેમની માતા હીરાબાના આશિર્વાદ લીધા હતા.
નર્મદા વડોદરા અને અમરેલીના પ્રવાસ મોદી કર્યો હતો. વિવિધ સરકારી યોજનાઓના લોકાર્પણ કર્યું હતું. મહત્વનું છે કે મોદી દ્વારા નર્મદા ડેમની પૂજા કરી હતી. આ સિવાય ડભોઈ ખાતે ભાજપના સંમેલનમાં હાજરી આપી સાથે અમરેલીમાં માર્કેટયાર્ડનું ઉદ્ઘાટન કર્યું હતું.