આજે ગુજરાત વિધાનસભાની ચુંટણીના પરીણામનો દિવસ હતો ત્યારે આજે સવારથી શરૂ થઇ સાંજ સુધી મતગણતરી કરવામાં આવી હતી અને અંતે ભાજપે 99 સીટ મેળવીને સરકાર રચવાનો નિર્ધાર કર્યો હતો.
આ સાથે જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમીત શાહની સાથે ભુપેન્દ્ર યાદવ પણ આ જીતના પાક્કા હિસ્સેદાર છે.
ભુપેન્દ્ર યાદવને અમિત શાહની નજીકના વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. ભુપેન્દ્ર યાદવે સમગ્ર ચુંટણી દરમ્યાન જાહેરસભાઓ અને રેલી સંબોધવાને બદલે પડદા પાછળ જ રહેવાનું વધુ પસંદ કર્યું હતું. તેમણે પડદા પાછળ રહીને ભાજપને જીતાડવાનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો હતો. અને અંતે ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભાજપે છઠ્ઠીવાર જીત મેળવી હતી.
મુળ અજમેરના વતની અને વ્યવસાયે વકીલ એવા ભુપેન્દ્ર યાદવ 2012 માં રાજ્યસભામાં સાંસદ તરીકે ચુંટાઇ આવ્યા હતા. ગયા માર્ચ મહીનામાં ઉત્તર પ્રદેશમાં મળેલા જ્વલંત વિજય બાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહે પોતાની તમામ તાકાત ગુજરાતની ચૂંટણીમાં અજમાવી લીધી હતી.
આ ચુંટણીમાં ભૂપેન્દ્ર યાદવે ખાસ કામગીરી નીભાવી અને પાર્ટીને જીતાડી હતી. ત્યારબાદ તેમને ગુજરાતમાં પાર્ટીના ચૂંટણી ઈન્ચાર્જ બનાવ્યાં હતાં. આઠ મહિનાના તેમના કાર્યકાળ દરમ્યાન યાદવે રાજ્યમાં વિવિધ સમીકરણને ધ્યાને રાખીને તેમણે ઘણુબધુ જાણ્યું અને અંતે ગુજરાતની ચુંટણી માટે તૈયાર કર્યો માસ્ટર પ્લાન. આખરે પરિણામો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં લાવવામાં તેઓ સફળ થયાં હતાં.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ ભૂપેન્દ્ર યાદવે જ્યારે જ્યારે ઈન્ચાર્જ બનાવવામાં આવ્યા ત્યારે ત્યારે તેમણે ભાજપને ઉજળી જીત અપાવી છે. વર્ષ 2013માં રાજસ્થાન 2014માં ઝારખંડ અને 2015માં બિહાર વિધાનસભામાં તેમને પાર્ટીનાસ ઈંચાર્જ બનાવવામાં આવ્યા હતાં. જેમાં ઝારખંડ અને રાજસ્થાનમાં પાર્ટીને જીતાડી હતી.