ઘણાં લોકોને જમ્યા બાદ વિવિધ પ્રકારની આદત રહેલી હોય છે. આ આદતો તેમને ક્યારેક સંકટમાં મુકી દેતી હોય છે.એટલા માટે ભોજન લીધા બાદ કેટલીક વાતોનું અચુક ધ્યાન રાખવુ જોઇએ નહીંતર ગંભીર રોગનો શિકાર બની જવાય છે.
1.ઘણાં લોકોને ભોજન લીધા બાદ તરત જ ઉંઘ આવવા લાગે છે એટલે તેઓ ભોજન લીધા બાદ તરત સુઇ જવાનું વધારે પસંદ કરે છે તો આ પ્રકારની આદત માણસને મુશ્કેલીમાં મુકી દે છે.એટલે ભોજન લીધ બાદ 1 કલાક સુધી સુવાનું ટાળવું જોઇએ જેનાથી તમારી શરીરનું વ્યવસ્થિત પાચન થાય છે અને શરીરની ચરબીમાં વધારો થતો અટકે છે.
તરત સુવાની આદતને કારણે ખોરાકનું પુરતા પ્રમાણમાં પાચન થતું નથી અને જેના કારણે અપાચા જેવી બિમારીને નોતરૂ મળે છે.ભોજન લીધા બાદ તરત સુવાની આદતને કારણે બ્રેઈન સ્ટ્રોક આવવાની શક્યતાઓ વધી જાય છે.
2.ભોજન લીધા બાદ તરત જ ઘણાં લોકોને સ્મોકિંગ કરવાની આદત રહેલી હોય છે જે એકદમ ખોટી આદત છે.જમ્યા બાદ સ્મોકિંગ કરવાથી પાચન શક્તિ અનિયમિત બને છે અને પુરતા પ્રમાણમાં પાચન થતું નથી.
એટલે કે ભોજન લીધા બાદ એક સિગારેટ પીવાથી 10 સિગારેટ પીધા બરાબર નુકસાન થાય છે.તો ખોરાક બાદ સ્મોકિંગ કરવાની ટેવ ટાળવી જોઇએ.
3.ઘણાં લોકોને ખોરાક લીધા બાદ સ્નાન કરવાનું વધુ પસંદ હોય છે પરંતુ જમ્યા બાદ સ્નાન કરવાની આદત માનવીને તકલીફમાં મુકી શકે છે.જમ્યા બાદ ખોરાકના પાચનમાંટે પાચનતંત્ર પોતાના કામની શરૂઆત કરે છે.
એટલે કે શરીરમાં રહેલ રક્તનો પ્રવાહ સીધો પેટ તરફ ખેંચાય છે જેના કારણે પાચનતંત્રની ક્રિયા વધુ ઝડપી બને છે.પરંતુ સ્નાન કરતા લોહી ફરી આખા શરીરમાં ફેલાય છે જેના કારણે ખોરાકનું પુરતા પ્રમાણમાં પાચન થતું નથી અને અપચો જેવી બિમારી થાય છે.
4.ખોરાક લીધા બાદ ઘણાં લોકોને ચા પીવાની એક આદત હોય છે પરંતુ આ આ આદત તેમને માટે મોટા રોગનું કારણ બને છે.ચાની અંદર ટેનિક એસિડ રહેલો હોય છે જે શરીરમાં ખોરાકને લીધે ઉત્પન્ન થતાં રેડ સેલ અને આયર્નને અટકાવે છે.
જેના કારણે આયર્નની અછત થતાં શરીરમાં એમોનિયા નામે રોગ થવાની શક્યતાઓમાં વધારો થાય છે. તો ખોરાક લીધા બાદની આ 4 આદતો ક્યારેક તમારામાં જીવલેણ પણ સાબિત થઇ શકે છે.એટલે શક્ય હોય ત્યાં સુધી આ આદતોને ટાળવી જોઇએ.