પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થધામમાં મહાશિવરાત્રિના ઉત્સવની તડામાર તૈયારી ચાલી રહી છે.મહાશિવરાત્રિના પાવન પર્વને અનુલક્ષીને સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે 42 કલાક સુધી ખુલ્લું રાખવાનો નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ત્રિ-દિવસીય શિવરાત્રિ મહોત્સવમાં રાજ્ય સરકાર અને જિલ્લાવહીવટી તંત્ર અને સોમનાથ મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે ભરત નાટયમ કથ્થક કુચીપુડી ભાતીગળ લોકનૃત્ય શાસ્ત્રીયનૃત્ય રાસગરબા અને ડાયરા સહીતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે જેમાં નામી-અનામી કલાકારોની સાથે જીલ્લાના ઉભરતા કલાકારોને પ્લેટફોર્મ પુરુ પાડવા માટે આવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે જેમાં અંદાજે ૫૦૦થી વધુ કલાકારો પોતાની કલાના માઘ્યમથી નટરાજ વંદના કરશે.
ઉલ્લેખનીય છે કે મહાશિવરાત્રિ મહોત્સવ નિમિત્તે દર્શનાર્થીઓના ભારે ધસારાને ધ્યાને રાખી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવા આવી છે.તો દરિયાઇ સુરક્ષાને ધ્યાને લઈને મરિન પોલીસ દ્વારા સતત 3 બોટ પેટ્રોલિંગ કરી રહી છે.