BRICS સમિટમાં ભારતે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો છે. બ્રિક્સ શિયામેન ઘોષણાપત્રના 48 પેરેગ્રાફમાં આતંકવાદ પર કડક ચિંતા વ્યક્ત કરી. આતંકવાદનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે ભારત આસ પાસના વિસ્તારમાં ફેલાઇ રહેલા આતંકવાદ અને સુરક્ષાની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરે છે. આ વિસ્તારોમાં તાલિબાન ISIL અલ કાયદાથી ખતરો હોવાનું જણાવ્યું છે.
તો ઇસ્ટર્ન તુર્કીસ્તાન ઇસ્લામિક મૂવમેન્ટ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઉઝબેકિસ્તાન હક્કાની નેટવર્ક જૈશ એ મહોમ્મદ TTP અને હિઝબુલ ઉત તહરીરનો ઉલ્લેખ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદી બ્રિક્સ સંમેલન માટે ચીનના પ્રવાસે છે. પીએમ મોદીએ બ્રિક્સ બેઠકમાં કહ્યું કે દરેક દેશોમાં શાંતિ માટે બ્રિક્સ દેશોને એકજુટ થવું જરૂરી છે. આ પહેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. જણાવી દઇએ કે આ બ્રિક્સનું 9મું સંમેલન છે. બ્રિક્સમાં બ્રાઝીલ રૂસ ભારત ચીન અને દક્ષિણ આફ્રિકા દેશ સામેલ છે.