જામનગરઃ કોંગ્રેસને વધુ એક ફટકો પડી શકે છે. રાઘવજી પટેલ બાદ હકુભા જાડેજા પણ કોંગ્રેસથી નારાજ છે. ધારાસભ્ય હકુભા જાડેજા તેમના સમર્થકો સાથે ચર્ચા કરીને આજે પંજાનો સાથ છોડી શકે છે. અને ભાજપમાં જોડવાનું એલાન કરે તેવી શકયતા છે. રાઘવજી પટેલ બાદ હકુભાની નારાજગી જામનગરમાં કોંગ્રેસને મોટું નુકસાન કરાવી શકે છે.