અમરેલીઃ કેરળ-તમિલનાડુમાં હાહાકાર મચાવનાર ઓખી વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું છે. ગુજરાતના કાંઠા વિસ્તારોમાં અચાનક દરિયાઇ પવનો ફૂંકાયા છે. સાથે પીપાવાવમા પણ વરસાદી છાંટા જોવા મળ્યા હતા.
જેને લઇ પીપાવાવ પોર્ટને ભારે નુકસાન થવા પામ્યું છે. જેને લઇ પીપાવાવ પોર્ટને 2 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. પવન એટલો ભયાનક ઝડપે આવ્યો કે જહાજના લંગરનાં લોખંડી દોરડા બે વખત પવનના કારણે તૂટી ગયા હતા.
જ્યારે આ પવનની જપેડમાં ગેસ જહાજ આવતા ફંગોળાઇ ગયું હતું. ગેસ શિપને અન્ય સ્થળે ખસેવા માટે તંત્રને તાત્કાલીક આદેશ કરવામાં આવ્યો છે. અંદાજિત 24 લાખથી વધુનું નુકસાન થવા પામ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સવારથી ગુજરાતના દરિયાકાંઠા પર વરસાદી પવન ફૂંકાતા તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બીજી બાજું ઓખી વાવાઝોડાની અસર અમરેલીમાં જોવા મળી હતી. ભર શિયાળે વરસાદી માહોલ સર્જાયો છે. સાવરકુડંલા અને દરિયાકાઠે આવેલા રાજુલા જાફરાબાદ પંથકમા વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ ટાપુ પાસે આવેલ ઓખી નામનુ વાવાઝોડું હવે દિશા બદલી રહ્યુ છે. મોસમ વિભાગ મુજબ આવતીકાલે વાવઝોડાની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. ગીરથી લઈને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે.
જેના ભાગરૂપે સુરત સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તંત્ર અલર્ટ થયુ છે. વાવાઝોડાની અસરના કારણે દરિયામાંથી માછીમારોને પરત આવવા માટેના સુચનો પણ આપવામાં આવ્યા છે.
આ ઉપરાંત વીજ વિભાગ અને ફાયર વિભાગના અધિકારીઓ સતર્ક થયા છે. જ્યારે પ્રભાવિત વિસ્તામાં લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. રાજ્યમાં વાવાઝોડાની અસરના કારણે દક્ષિણ ગુજરાતમાં NDRFની ટીમો ગોઠવી દેવામાં આવી છે.
ત્યારે હવે સુરતમાં 2 નવસારીમાં 2 અને રાજકોટમાં 2 ટીમો પહોંચી છે. આ ઉપરાંત વાવઝોડાની વધુ અસર થાય તો તંત્ર દ્વારા નેવી એરફોર્સ અને BSFના જવાનોની પણ મદદ લેવામાં આવશે.