ભારતના ભુતપુર્વ ખેલાડી વિરેન્દ્ર સહેવાગે આજે જણાવ્યું હતુ કે કોઇપણ ટીમના કપ્તાન ભલે ટીમના સર્વેસર્વા હોય પરંતુ કોઇપણ મામલે તેનો અભિપ્રાય લેવામાં આવે છે. આ જ કારણથી વિરાટ કોહલીના અભિપ્રાય છતાં હું ટીમ ઇંન્ડીયાનો કોચ ના બની શક્યો.ઉલ્લેખનીય છે કે અનિલ કુંબલે અને કોહલી વચ્ચે સંબંધોમાં તિરાડ પડતા કુંબલેએ કોચપદ છોડવુ પડ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે અંતે સચિન તેંડુલકર સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણની ત્રણ સભ્યની ક્રિકેટ સલાહકાર સિમિતિએ રવિ શાસ્ત્રીના નામ પર પસંદગી ઉતારી હતી જેઓ એક વર્ષ પહેલાં કુંબલે સાથેની હરીફાઈમાં પાછળ રહી ગયો હતો. સેહવાગે કહ્યું છે કે કેપ્ટનની ટીમ સાથે સંકળાયેલા વિભિન્ન નિર્ણય પર અસર કરે છે પરંતુ કેટલાક મામલે અંતિમ નિર્ણય તેનો તો નથી જ હોતો.
આ વાત સહેવાગે એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યુ હતુ કે કોચ અને પસંદગીમાં કેપ્ટનની ભૂમિકા હંમેશાં અભિપ્રાય આપનારી હોય છે. વિરાટ કોહલીની ઇચ્છા હતી કે હું ભારતીય ટીમનો કોચ બનું. જ્યારે કોહલીએ સંપર્ક કર્યો ત્યારે મેં તેને આવેદન આપ્યું હતું પરંતુ હું કોચ ન બન્યો.
સહેવાગના વિષયમાં કહીએ તો જ્યારે તે ક્રિઝ પર રમવા ઉતરે છે ત્યારે તે સામે કોણ બોલર છે તેની પરવાહ કરતા નથી. પરંતુ દિલ્હીના એક બેટ્સમેનના જણાવ્યાનુસાર સહેવાગ શ્રીલંકાના ઓફ સ્પીનર મુથૈયા મુરલીધરનની સામે ક્યારેક તે પરેશાન થઇ ઉઠતા હતા. આ વાત અંતે સહેવાગે પણ લોકો સમક્ષ સ્વીકારી હતી.
સોશિયલ મીડિયા પર અલગ અલગ મામલે પોતાનો અભિપ્રાય આપનારા સેહવાગને હાલ રાજકારણમાં આવવાનો કોઈ ઇરાદો નથી પરંતુ તે ઇચ્છે છે કે પોતાની પર બાયોગ્રાફી લખવામાં આવે અને બે વાર ઓલિમ્પિક ચેમ્પિયન સુશીલ કુમાર પર બાયોપિક બને.