નવી દિલ્હીઃ રોહિંગ્યા મુસ્લિમોની ઘૂસણખોરીને લઈને ગૃહમંત્રી રાજનાથસિંહનું મોટું નિવેદન સામે આવ્યું છે. રાજનાથસિંહે દિલ્લીમાં એક કાર્યક્રમ દરમિયાન નિવેદન આપ્યું છે કે મ્યાનમારમાંથી આવેલા રોહિંગ્યાઓને શરણાર્થી નથી. રોહિંગ્યા શરણાર્થી બનીને ભારતમાં આવ્યા નથી.
તેઓ ઘૂસણખોરી કરીને ભારતની અંદર ઘુસી આવ્યા છે. તેઓ શરણાર્થી નહીં પરંતુ અવૈધ ધૂસણખોરો છે. અને રોહિંગ્યાને મ્યાનમાર પરત લેવા માટે તૈયાર છે. તેથી તેમણે ભારતમાંથી પરત જવું જ પડશે.