મુંબઈથી 30 નોટિકલ મીલ દૂર એક હેલિકોપ્ટરનો એર ટ્રાફિક કંટ્રોલથી સંપર્ક તુટયો છે.આ હેલિકોપ્ટરમાં ONGCના 7 કર્મચારી સવાર હતા.ત્યારે હવે આ હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો છે.આ હેલિકોપ્ટરનો કાટમાળ દરિયામાંથી મળી આવ્યો હતો.
ત્યારે હવે કાટમાળ કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.કોસ્ટગાર્ડે અત્યાર સુધી 1 મૃતદેહ બહાર કાઢયો છે.ઉલ્લેખનીય છે કે મુંબઈના જુહુથી શનિવારે સવારે 10.20 કલાકે આ હેલિકોપ્ટરે ઉડાન ભરી હતી. અને 10.50 વાગે ONGCના નોર્થમાં આ હેલિકોપ્ટર લેન્ડ કરવાનુ હતુ.પરંતુ આ હેલિકોપ્ટર ત્યાં પહોંચ્યુ ન હતુ.ત્યારથી જ હેલિકોપ્ટરની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે નવા વર્ષની શરૂઆતથી જ દેશમાં અઘટિત બનાવો બની રહ્યા છે ત્યારે આ પહેલા મુંબઇના કેટલાક સ્થળોએ આગ લાગી હતી તો આ આગમાં કેટલાય લોકોએ જીવ પણ ખોયા હતા ત્યારે આજે ફરી એકવાર ONGCના કર્મચારીઓને લઇને ઉડેલ હેલિકોપ્ટર ઉડાન ભર્યાના થોડાં સમયમાંજ ગુમ થતાં તંત્ર હરકતમાં આવી ગયું હતુ જો કે તે દરિયામાં તુટી પડ્યાના હેવાલો પ્રાપ્ત થયાં છે.
ગુમ થયેલું આ હેલિકોપ્ટર સવારે મુંબઈમાં મળી આવ્યું હતું. કાટમાળ સાથે 4 મૃતદેહ પણ મળ્યા છે. હાલ બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ગુમ થયેલા મુસાફરો માટે અત્યાર સુધી 5 જહાજો 2 ડોર્નર્સ અને 2 હેલિકોપ્ટરોને આ કામ માટે ફાળવવામાં આવ્યા છે.