પાટણ સેશન્સ કોર્ટમાંથી હાર્દિક પટેલને જામીન મળ્યા બાદ હાર્દિકે સરકાર પર પ્રહારો કર્યા છે. જેલની બહાર આવી હાર્દિકે આક્ષેપ લગાવ્યો છે કે પોલીસ ભાજપના ઈશારે કામ કરી રહી છે. આંદોલનને દબાવવા માટે મને જેલમાં મોકલાયો હતો. પરંતુ હવે હું સરકાર સામે દાદાગીરીથી લડીશ. મને સમાજે ભાજપનો વિરોધ કરવાની સત્તા આપી છે.
આ સાથે હાર્દિકે અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવવા મુદ્દે નિવેદન આપતા જણાવ્યું કે દરેક વ્યક્તિની મહત્વકાંક્ષા હોય છે. હું કોઈ પક્ષને ટેકો આપવાનો નથી. હવે હાર્દિક પટેલ જેલમાંથી બહાર આવી જતાં આગામી સમયમાં પાટીદાર આંદોલન ફરી ધમધમે તો નવાઈ નહીં.