ગાંધીનગરઃ રાજયની સરકારે કેદીઓ પોતાના પરિવાર સાથે દિવાળી મનાવી શકે તે માટે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે મહિલા અને વૃદ્ધ કેદીઓને દિવાળી માટે 15 દિવસના પેરોલ આપવાની જાહેરાત કરી છે. પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી શકે તે માટે પેરોલ આપવાની જાહેરાત કરી છે. આ પેરોલ આજથી જ આપવામાં આવશે. જો કે આતંકવાદી પ્રવૃતિ જેવા ષડયંત્રમાં સંડોવાયેલા કેદીઓને પેરોલ નહીં મળે.