જુનાગઢ : કેશોદમાં અહીર સમાજ ની બેઠક મળી અને બીજેપી દ્વારા જાહેર કરાયેલ લીસ્ટ માં આહીર સમાજ નો એકપણ ઉમેદવાર ન હોવાથી આહીર સમાજ નારાજ છે.
અને હજુ એક તક છે ત્રીજી યાદીમાં કેશોદમાં આહિર સમાજ ને ટીકીટ આપવામાં આવે તેવી માંગ કરી છે જો નહી આપી તો આહીર સમાજ બીજેપીનો વિરોધ કરશે અને બીજેપીના ઉમેદવારો ને હરાવશે
જુનાગઢ રાજકોટ પોરબંદર અને ગીર સોમનાથ ના જાહેર કરાયેલ બીજેપીની યાદીમાં એકપણ આહીર ઉમેદવાર ના હોવાથી આહીર સમાજ નારાજ છે. એજ કેશોદ ખાતે એક મીટીંગ મળી જેમાં ગુજરાત અને જુનાગઢ ના આહિર સમાજ ના આગેવાનો અને નેતાઓ હાજર રહ્યા અને નક્કી કરવામાં આવ્યું કે જો ત્રીજી યાદીમાં કેશોદ બેઠક પર આહીર સમાજના ઉમેદવાર નું નામ જાહેર નહી થાય તો આહીર સમાજ બીજેપી નો વિરોધ કરશે અને બીજેપી ના ઉમેદાવારો ને હરાવશે .
તેમને એવી પણ ચીમકી આપી હતી કે રાજકોટ ની જે બેઠક પર વિજય રૂપાણી ચૂંટણી લડવાના છે એ વિસ્તારમાં અહીર મતદારો સૌથી વધુ છે અને આહીર ને ટીકીટ ન આપે તો તેમને ભોગવવું પડશે.
ગુજરાત માં ૧૦ % મતદારો આહીર છે જો અહીર સમાજ ની નારાજગી બીજેપી દુર નહી કરે તો મુખ્યમંત્રી વિજય રૂપાણી ને કોઇપણ મુશ્કેલી વધશે સાથે સાથે ગુજરાત ના અન્ય ઉમેદવારો ને પણ મુશ્કેલી વધશે