સુરતઃ આ તરફ તાપીમાં પણ વિસર્જન બાદ ગણેશજીની મૂર્તિઓની દયનિય સ્થિતિ સર્જાઈ છે. તાપી નદીમાં જળસ્તર ઓછું હોવાથી મોટા ભાગની ગણેશ મૂર્તિઓ તરીને કિનારા પર આવી ગઈ છે. કેટલીક મૂર્તિઓ ઓગળી નથી. તો કેટલીક મૂર્તિઓ ગંદકીમાં પડી છે.
ઉલ્લેખનિય છે કે વિઘ્ન હર્તા ભગવાન ગણેશજી વિસર્જનને લઈને સુરતમાં આવેલી તાપી નદી પણ વિસર્જન માટે ઓવારા ને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. પીઓપીની મૂર્તિ વિસર્જન કરવા માટે કુત્રિમ 11 જેટલા તળાવ બનાવામાં આવ્યા હતા. પણ જે રીતે તાપી નદીમાં પાણી નહિ વાત હોવાને લઈને તંત્ર ની ચિંતામાં હતું. કારણ કે સુરત માં 60 હજાર જેટલી ભગવાન ગણેશની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યુ હતું જેને પગલે નાની મૂર્તિ તાપી નદીમાં વિસર્જિત કરવામાં આવી અને મોટી મૂર્તિ સુરત નજીક આવેલ ડુમસ અને હજીરા ખાતે આવેલ દરિયામાં વિસર્જિત કરવા માટે ખાસ ઓવારા બનાવામાં આવ્યા હતા.
તાપી નદીમાં વિસર્જન માટે ઉકાઈ થી પાણી છોડવામાં આવતું હતું પણ આ વર્ષે ડેમમાં પાણીની આવક ઓછી હોવાને પગલે પાણી નહિ છોડવામાં આવતા વિસર્જિત કરેલી મોટાભાગની ગણેશ મુર્તી બહાર તરી આવી હતી.