ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઇ ચુકી છે. ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂતે 18 તારીખે થનારી મતગણતરીને લઇને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
પ્રેસ કોન્ફરન્સમાં તેઓએ ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેઓ ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જો ભાજપ દ્વારા સત્તાનો દુર ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે EVMમાં ગડબડ નહી કરી હોય તો અમારી જીત નિશ્વિત છે .મતગણતરીના દિવસે કોંગ્રેસ દ્વારા જનતાનો આભાર માનવા જંગી સભા યોજાશે. સભામાં કોંગ્રેસના ઉમેદવારો સહિત નેતાઓ ઉપસ્થિત રહેશે.