જામનગરઃ કોંગ્રેસથી અસંતુષ્ઠ ધારાસભ્ય હકુભા જાડેજાને જામનગર ખાતે મુખ્ય મંત્રી વિજય રૂપાણીની અને પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ કેસરી ખેસ પહેરાવી ભાજપમાં વિધિવત પ્રવેશ કરાવ્યો હતો.૧૫ હાજર જનમેદની વચ્ચે હકુભાના ટેકેદાર એવા મહાપાલિકાના ૯ કોર્પોરેટરો અને કોંગ્રેસી કાર્યકરોની વિશાલ ટીમ ભાજપમાં જોડાઈ હતી. આ પ્રસંગે મુખ્ય પ્રધાન પ્રદેશ ભાજપા અધ્યક્ષ સહિતનાઓએ સભા સંબોધી કોંગ્રેસ અને સોનિયા ગાંધીને નિશાન બનાવ્યા હતા.
જામનગરના પૂર્વ ધારાસભ્ય હકુભા જાડેજાને વિધિવત ભાજપમાં પ્રવેશ અપાવી આજે વિશાળ જન મેદનીને સંબોધતા રાજયના મુખ્ય મંત્રી વિજય રુપાણીએ કોંગ્રેસને આડે હાથ લીધી હતી વડાપ્રધાનની વિકાસ યાત્રાને વર્ણવી કોંગ્રેસને ફેકચર અને સ્ટ્રેચર વાળી કોંગ્રેસ કહી હતી.
સાથોસાથ પતનની શરૂઆત જામનગરની ભૂમિ પરથી થઇ હોવાનો ભાવ પણ રજુ કર્યો હતો. ગાંધીજીએ કોંગ્રેસ વીખી નાખવાની જે વાત કહી હતી તે અત્યારે સાચી થવા જઇ રહી છે એમ જણાવી મુખ્ય પ્રધાને સોનિયા ગાંધીના રાહુલ પરના વાત્સલ્યને કોંગ્રેસના પતનનું કારણ ગણાવ્યું હતું વિધાનસભા ચુંટણી વખતે પક્ષ ધારાસભ્યને સાચવી શકનાર કોંગ્રેસને ફેકચર અને સ્ટ્રેચર વાળી કહી હતી.