અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત ચૂંટણીમાં આચાર સંહિતાના કથિત ઉલ્લંઘનને લઇ કોંગ્રેસના નિશાને આવી ગઇ છએ. ગુજરાતની બીજા તબક્કાની ચૂંટણીમાં આજે પોતાનો વોટ કર્યા ાદ રોડ પર ઉભેલા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. કોંગ્રેસ આને રોડ શોનું નામ આપી આચાર સંહિતાનો ભંગ કર્યાનો આરોપ લગાવી રહી છે. કોંગ્રેસે આ મુદ્દે ચૂંટણી પંચને પણ આડેહાથ લીધું છે.
દિગ્ગજ નેતાઓ મતદાન કરી રહ્યા છે ત્યારે પીએમ મોદીએ પણ મતદાન કર્યુ હતું. ત્યારબાદ લોકોનુ અભિવાદન ઝીલ્યુ હતું. આ મામલે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધવામાં આવી. પીએમ મોદીએ રોડ-શો કર્યો હોય તેવા કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા.
ત્યારે હવે કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલ પ્રેસ કોંફરેન્સમાં કોંગ્રેસના નેતા અશોક ગેહલોત દ્વારા કહેવામાં આવ્યુ છે કે ચૂંટણી પંચ દ્વારા ભાજપ સામે કોઈ પગલા લેવામા આવતા નથી. કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા કે ભાજપ દ્વારા દબાવ કરવામાં આવે છે જેથી ચૂંટણી પંચ દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી.