ગુજરાત ચૂંટણી ભલે પૂર્ણ થઇ ગઇ છે પરંતુ કોંગ્રેસ આ રાજ્યમાં હજુ પણ ચૂંટણી મોડમાં છે. કોંગ્રેસે 2019ની સામાન્ય ચૂંટણી પહેલા ગુજરાતમાં એક એવી રમત રમી છે જેનો રાજ્યમાં હન્દુ મતદાતાઓ પર અસર પડી શકે છે. કોંગ્રેસ ગુજરાતમાં 150 રામ મંદિરોનું પુનનિર્મણાની જાહેરાત કરી છે.
એક રિપોર્ટ અનુસાર ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જે જે વિસ્તારમાં પ્રચાર કરવા માટે ગયા હતા અને જે મંદિરોમાં દર્શન કર્યા હતા એ વિસ્તારમાં મોજૂદ રામમંદિરોનું પાર્ટી પુનનિર્માણ કરાવશે. અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો પ્રયત્ન કરી રહેલી ભાજપ માટે કોંગ્રેસનો આ નિર્ણય 2019ની સામાન્ય ચૂંટણી પહેલા એક મહત્વની રાજકીય ઘટના છે. કોંગ્રેસ ધર્મ આધારિત રાજકારણ છોડી દેવું જોઇએ. એમને કોંગ્રેસ પર આરોપ લગાવતાં કહ્યું કે ભાજપ માટે હિંદુત્વ દર્શન સંસ્કૃતિ પરંપરા અને સભ્યતા છે જ્યારે કોંગ્રેસ માટે આ રાજકીય દંભ હોઇ શકે છે. કોંગ્રેસ પ્રવક્તા મનીશ દોશી માને છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન જે વિસ્તારોમાં મંદિરોમાં ગયા પાર્ટીને ત્યાં સારા પરિણામો મળ્યા.
જણાવી દઇએ કે રાહુલ ગાંધી ગુજરાત ચૂંટણીના પ્રચાર જરમિયાન સોમનાથ મંદિર પાટનદેવી મંદિર ચામુંડા મંદિર સહિત ઘણા મંદિર પહોંચ્યા હતા. કોંગ્રેસ હવે આ એજન્ડાને ધ્યાનમાં રાખીને ચૂંટણી અભિયાન ચલાવશે. ગુજરાત વિધાનસભામાં નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ કહ્યું કે રામ મંદિર કોંગ્રેસ માટે ધર્મ આસ્થાનો વિષય છે જ્યારે ભાજપ માટે નોટ અને વોટનો રસ્તો. જણાવી દઇએ કે ભાજપ અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઇને કોંગ્રેસ પર પ્રહાક કરી રહી છે.
ગુજરાત ચૂંટણી જરમિયાન જ જ્યારે કોંગ્રેસ નેતા કપિલ સિબ્લલે સુપ્રીમ કોર્ટથી રામ મંદિર મામલાની સુનવણી 2019 ચૂંટણી બાદ કરવાનો અનુરોધ કર્યો ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કર્યો. ત્યારે પાર્ટી અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસને પૂછ્યું હતું કે શું કોંગ્રેસ રામ મંદિર નિર્માણ પર સહમતિ વ્યક્ત કરે છે કે આ બાબતને 2019 સુધી ટાળવા ઇચ્છે છે.