રાજકોટઃ હજુ ચૂંટણીના ઉમેદવારો નક્કી નથી થયા ત્યાં રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરુના ઠેરઠેર પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. અને પોસ્ટરવોરને લઇને રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
શહેરના કાલાવડ રોડ પર લગાવાયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીના પોસ્ટર અજાણ્યા શખ્સો દ્વારા ફાડવામાં આવ્યા હતા. CCTV કેમેરાના આધારે તપાસ હાથ ધરી ફરિયાદ નોંધવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આચારસંહિતા લાગુ હોવા છતાં વિજય રૂપાણીના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા.