ભાવનગર: બોટાદના સાળંગપુર નજીક અકસ્માત થતાં ચાર લોકોના મોત થયા છે.અને 3 લોકોને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.મૃતકોને PM અર્થે બરવાળા ખસેડાયા હતા.વરરાજાને ઉતારીને સાળંગપુર જતા કાર પલ્ટી મારતા અકસ્માત સર્જાયો હતો.લીભડાથી ખાભડા જાન આવી હતી.
ઉલ્લેખનીય છે કે લગ્નનો સિઝન રાજ્યમાં જોરદાર જામી છે ત્યારે કેટલાક અકસ્માતોની ઘટના પણ ક્યારેક બનતી હોય છે ત્યારે વરરાજાને ઉતારીને આવતી વખતે એક કાર પલ્ટી મારતા એકસ્માત સર્જાવા પામ્યો હતો. આ ઘટનામાં 4 લોકોના મોત થયા હતા અને 3 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી.
આ ઘટનાની જાણ થતાં ટ્રાફિક જામ થઇ જવા પામ્યો હતો અને પોલીસ ઘટના સ્થળે આવીને લાશનો કબજો લઇ PM અર્થે રવાના કરેલ તથા ઇજા પામનારને નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા.