પટના: સ્વચ્છ ભારત મિશન હેઠળ દેશને ખુલ્લામાં શૌચ મુક્ત બનાવવા માટે સરકાર દરેક પ્રકારના પગલા ભરી રહી છે. તેમજ કડક નિયમો પણ બનાવવામાં આવે છે.
સરકાર સાથે બિન સરકારી સંગઠન પણ જાગરૂકતા ફેલાવવા માટે નવા નવા પગલાઓ ભરતી હોય છે. છતાં કેટલાક લોકો પોતાની ટેવને છોડવા માગતા નથી. ત્યારે બિહારમાં એક વિચિત્ર ફરમાન જારી કર્યું છે. જેમાં પ્રદેશના શિક્ષકો નારાજ થઇ ગયા છે.
BDOએ ખુલ્લામાં શૌચ કરતા લોકો પર લગામ કસવા માટે નવો આઇડિયા અપનાવ્યો છે. જેમાં ખુલ્લામાં શૌચ કરતા લોકોની શિક્ષકોને ફોટોગ્રાફી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. શિક્ષકોએ અભ્યાસ કરાવવાનું છોડી ખેતરોમાં ફરવું પડશે. પરંતુ બિહાર ટીચર એસોસિએશને BDOના આ ફરમાનનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે આવો આદેશ શિક્ષકોના અપમાન સમાન છે.