ગુજરાતમાં જ્યારે સ્વાઈન ફ્લૂએ ભરડો લીધો છે ત્યારે સરકાર અને સામાજિક સંસ્થા દવારા સ્વાઈનફલુને અટકાવવામાં માટે કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે અને ઠેર-ઠેર ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે તાજેતરમાં મળેલ અહેવાલમાં ભાવનગરની શાળાના વિધાર્થીઓએ ઉકાળો પીધા બાદ ઝાડા-ઉલ્ટી થઇ જતા આ ઘટનાને પગલે તંત્ર દોડતું થઇ ગયુ હતું. આ બનાવને પગલે તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી પ્રાથમિક સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા હતા
ભાવનગરમાં સાંપરા ગામે શાળામાં ઉકાળો પીધા બાદ બાળકોને ઝાડા-ઉલ્ટી થતાં આરોગ્યતંત્રમાં દોડધામ મચી. 20થી વધુ બાળકોને ઝાડા-ઉલટીની અસર જોવા મળી. હાલ તમામ બાળકોને ભાવનગર હોસ્પિટલ ખસેડાયા છે.