સચિન તેંદુલકર ક્રિકેટમાં કેટલા પણ મોટા રેકોર્ડ ભલે બનાવ્યા હોય પરંતુ ધ્યાનચંદની અસાધારણ પ્રતિભાની સામે તેમનું કદ ક્યારેય મોટું ના થઇ શકે. પરંતુ ત્યારબાદ પણ કોંગ્રેસ શાસન 2014ની સામાન્ય ચૂંટણી દરમિયાન ક્રિકેટના ભગવાન રિટાયરમેન્ટના દરમિયાન ભારત રત્નના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા જેથી તેમને મોદી લહેર વિરૂદ્ધ જીતવામાં મદદ મળી શકે. કોંગ્રેસે ભારત રત્ન માટે બહુ સરળતાથી ધ્યાનચંદના મુકાબલે સચિન તેંદુલકરને આગળ કરી એક નવો વિવાદ ઉભો કર્યો હતો. જેના પર આગળ ચાલીને મોટું ઘમાસાણ થવાની જ હતી કે શું સચિન તેંદુલકરને ધ્યાનચંદની પહેલા ભારત રત્ન મળવો યોગ્ય છે ?
સચિને આ વિવાદમાં દોષીત ના ગણાવી શકાય. ક્રિકેટ દ્વારા દેશની સતત સેવા કરતા તેમણે ભારતનું નામ દુનિયામાં પ્રસિદ્ધ કર્યું છે. તેમની ક્રિકેટ કલા પર પણ કોઇ દાગ નથી. પરંતુ તેઓ આ મામલે પોતે આગળ આવીને ધ્યાનચંદનું નામ આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે આગળ કરી શકતા હતા. આવું કરતા તો માસ્ટર બ્લાસ્ટર કદાચ વધુ મહાન થઇ જાત.
ધ્યાનચંદ બાદ તેમને પણ અવશ્ય ભારત રત્ન મળી શકત પરંતુ હંમેશા રેકોર્ડ પર નજર રાખનારા સચિન તેંદુલકરે કદાચ અહીં પણ રેકોર્ડ બનાવી નાખ્યો. જોકે હાલ તેઓ દેશના એવા પહેલા ખેલાડી બની ચૂક્યા છે જેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન મળી ચૂક્યો છે. ધ્યાનચંદ એટલે દદ્દા આ મામલે તેમનાથી પાછળ રહી ગયા છે. એવું કહો તો પણ ખોટું નથી કે તેમને પાછળ રાખી દેવાયા.
ક્રિકેટમાં સચિનથી મોટું નામ હંમેશા ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન ડોન બ્રેડમેનનું રહેશે. વર્તમાનમાં વિરાટ કોહલી ક્રિકેટની નવી તસવીર રજૂ કરી રહ્યા છે. પરંતુ હોકીમાં ધ્યાનચંદથી મોટું કોઇ ન હતું અને ન કોઇ થશે. એવામાં ભારત રત્ન માટે ધ્યાનચંદને ભૂલવાનું એક ઉંડાણપૂર્વક વિચારવાનો વિષય અવશ્ય બની ચૂક્યો છે. આવો જણાવીએ અંતે સચિન તેંદુલકર ધ્યાનચંદથી ભારત રત્નના મામલે કેમ આગળ આવી ગયા.
વાત વર્ષ 2011ની છે. જ્યારે સૌથી પહેલા ભારત રત્ન આપવાના નિયમોમાં કેટલાક મૂળભૂત ફેરફારો થયા. ત્યારે એવું લાગ્યું કે ધ્યાનચંદને આ પુરસ્કાર મળી જશે. સરકારે ભારત રત્નની જોગવાઇ કરાઇ. આ ફેરફાર પ્રમુખરીતે ધ્યાનચંદને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતુ મહારાષ્ટ્ર સદનમાં ધારાસભ્યો દ્વારા સચિન તેંદુલકરનું નામ પણ આ પુરસ્કાર માટે સામે લાવ્યા બાદ આ મામલે વધતા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકાર આ મામલે મુંગી થઇ ગઇ.
ઓનલાઇન મીડિયા રિપોર્ટ્સ અનુસાર 16 જુલાઇ 2013ના રોજ તત્કાલીન રમત-ગમત મંત્રી જિતેન્દ્ર સિંહે ધ્યાનચંદને મૃત્યુબાદ ભારત રત્ન આપવાની ભલામણ એક પત્ર દ્વારા પ્રધાનમંત્રી કાર્યાલયથી કરવામાં આવી હતી. જેના પર પ્રધાનમંત્રી કાર્યાલયે પણ સહમતિ દર્શાવી હતી. તે છતાં સચિન તેંદુલકર આ પુરસ્કાર માટે ધ્યાનચંદથી આગળ થઇ ગયો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર જ્યારે ધ્યાનચંદને ભારત રત્ન આપવાનો નિર્ણય થઇ ચૂક્યો હતો તો સચિનની ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત બાદ સરકારે પોતાના નિર્ણયમાં ફેરફાર શા માટે કર્યો ? 14 નવેમ્બર 2013ના રોજ સચિને પોતાની છેલ્લી ટેસ્ટ મુંબઇમાં રમી હતી. જે તેમના કરિયરની 200મી ટેસ્ટ હતી.
નવેમ્બર-ડિસેમ્બર 2013 દરમિયાન રાજસ્થાન મધ્યપ્રદેશ દિલ્હી અને મિઝોરમમાં ચૂંટણી થવાની હતી. યૂપીએ સરકારે સચિનનું નામ સ્વીકૃતિ માટે ચૂંટણી પંચમાં મોકલ્યું. આયોગે પણ વગર સંકોચે તેને પોતાની મંજૂરી આપી દીધી.
મીડિયા રિપોર્ટ અનુસાર વિવાદ આ કારણે જોર પકડી રહ્યો છે કે સૂચનાના અધિકાર હેઠળ રમત-ગમત મંત્રાલયએ લખેલ પીએમઓનો એક દસ્તાવેજ સામે આવ્યો છે. જેમાં રમત-ગમત મંત્રાયલના આ પુરસ્કાર માટે ધ્યાનચંદની ભલામણ પહેલા કરી હતી. આરટીઆઇ કાર્યકર્તા સુભાષ અગ્રવાલને મળેલી સૂચનાથી ખબર પડે છે કે રમત મંત્રાલયે અન્ય નામોની ભલામણ પણ કરી હતી. પરંતુ પીએમઓએ તેમની ધ્યાનબારી કરી હતી.
સોનેરી ધ્યાનચંદે 3 ઓલમ્પિકમાં કર્યા હતા 39 ગોલ
ઉલ્લેખનીય છે કે ભારત રત્ન પુરસ્કાર માટે જનારી ભલામણ સમગ્ર પ્રધાનમંત્રી કાર્યાલય પર નિર્ભર હોઇ છે. મીડિયા રિપોર્ટસ અનુસાર તત્કાલીન રમત-ગમત મંત્રી જિતેન્દ્ર સિંહે જે પત્ર લખ્યો હતો તેમાં તેમણે ભારત રત્ન માટે ધ્યાનચંદના નામનો જ ઉલ્લેખ કરાયો હતો. વડાપ્રધાન મનમોહન સિંહે આ પત્રથી ખુશ થયા અને આ પ્રધાન સચિવની પાસે આગળની કાર્યવાહી કરવા માટે મોકલવામાં આવ્યો. પરંતુ ધ્યાનચંદનું ભાગ્ય અહીં ભટકી ગયું અને આ પત્ર નોકરશાહોની પાસેથી ગુમ થઇ ગયો.
ઓનલાઇન મીડિયાના જણાવ્યા અનુસાર એક મહિના બાદ ઓગસ્ટમાં પીએમઓના તત્કાલીન નિર્દેશક રાજીવ ટોપનોને કહ્યું કે ધ્યાનંચદને ભારત રત્ન આપવાના મામલામાં વડાપ્રધાનના મુખ્ય સચિવ સમક્ષ ડિસેમ્બરમાં પદ્મ પુરસ્કારની યાદીને અંતિમ રૂપ આપતા સમય રાખવામાં આવશે. પરંતુ આગળ આના પર કોઇ ચર્ચા નથી થઇ. બાદમાં 14 નવેમ્બર 2013ના રોજ ટોપનોએ ખેલ મંત્રાલયએ સચિનના પ્રોફાઇલ પીએમઓને મોકલવાના અનુરોધ કર્યો.