તાજેતરમાં બિલ્ડર્સ દ્વારા ગ્રાહકોને ઘર ન મળવાના કિસ્સા લોકોમાં વધુ ચર્ચામાં છે. પણ આ મુદ્દા પર એક મોટો વળાંક આવ્યો છે. ભારતીય ક્રિકેટર હરભજન સિંઘે ટ્વિટર યુઝરને આ સવાલ પૂછ્યો હતો તો ભજ્જીએ આ સવાલનો ખુબ અનોખી રીતે જવાબ આપ્યો હતો.
યુઝરએ ભજ્જીને પૂછ્યું હતું કે તમે અને મહેન્દ્રસિંહ ધોનીએ આમ્રપાલી ગ્રૂપ દ્વારા તમને ફ્રીમાં વિલા અવશ્ય મળ્યો હશે ? જ્યારે અમારે તો પૈસા ડૂબી ગયા છે.આ સવાલનો ભજ્જીએ જવાબ આપ્યો કે ભાઇ તને કોણે કહ્યું કે અમને વિલા આપવામાં આવ્યો છે ઠેંગો મળ્યો છે. અમને મૂર્ખ બનાવામાં આવ્યા છે અને અમારું નામ આપીને પબ્લિક પાસેથી રૂપિયા પડાઈ લેવામાં આવ્યા છે.
આ પછી અન્ય એક યુઝરએ કહ્યું કે અમા્રપાલી ગ્રૂપના પ્રમુખ મહેન્દ્રસિંહ ધોનીનો મિત્ર છે. ત્યારે ભજ્જીએ કહ્યું કે તે તેના મિત્ર હોઈ શકે છે પણ મારા મિત્ર નથી. જો તમારે કંઈક મોકલવું હોય તો તેમને પૂછો તમારા મગજનો ઉપયોગ કરો.
મોટી રિયલ એસ્ટેટ કંપનીઓએ ભૂતપૂર્વ કેપ્ટ્ન મહેન્દ્રસિંહ ધોની અને અન્ય ક્રિકેટરોને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા અને એમાં એક આમ્રપાલી ગ્રૂપ હતું . પરંતુ આ બાબત ત્યારે ચર્ચામાં આવી જ્યારે કંપનીના લોકોને ફ્લેટ આપવા નિષ્ફળ રહી હતી. ત્યારબાદ લોકોની નજરમાં મહેન્દ્રસિંહ ધોની આવી ગયા હતા જે કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર હતા. ત્યારબાદ ધોનીએ આ ગ્રુપના અનેક પ્રોજેક્ટ્સમાંથી નામ પાછું ખેંચી લીધું. આમ્રપાલીએ વર્ષ 2011માં વિશ્વકપ જીત્યા બાદ ટીમના તમામ ખેલાડીઓને વિલા આપવા માટે જાહેરાત કરી હતી .