બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ માં નેશનલ હેલ્થ મિશન અને આર સી એચ કરાર આધારિત 1000 થઈ પણ વધુ કર્મચારીઓ નોકરી કરે છે. જિલ્લાના પ્રાથમિક રેફરલ સહિત ની તમામ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવે છે. પરંતુ તેઓને તેમના પદ અને શિક્ષણ પ્રમાણે વેતન નથી મળતું નોકરીની કોઈ સુરક્ષા નથી હક રાજાઓ અને મેડિકલ રાજાઓ નથી મળતી તેમજ નોકરી દરમ્યાન મૃત્યુ પામે તો પણ કઈ પ્રકારના લાભ મળતા નથી જે અંગે આ કર્મચારીઓએ વારંવાર આરોગ્ય વિભાગ અને સરકાર માં રજુઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈજ ઉકેલ આવ્યો નથી.
જેથી કંટાળેલા આ કર્મચારીઓ આજે જિલ્લા કલેક્ટર કચેરી આગળ ભૂખ હડતાલ પર બેસી ગયા હતા અને કલેક્ટર ને આવેદનપત્ર આપી તેમની રજુઆત કરી હતી કે જ્યાં સુધી તેમની માંગણીઓ સ્વીકારી તેમને મળવા પાત્ર તમામ લાભ આપવામાં નહીં આવે તો આગામી સમય માં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
એક તરફ બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાત માં સ્વાઇન ફલ્યુ કહેર માચારી રહ્યો છે ત્યારે આજે જિલ્લામાં ૩૦૦ થી વધુ કર્મચારીઓ ભૂખ હડતાલ પર બેસી જતા સરકારી હોસ્પિટલમાં દર્દીઓને પણ હાલાકી ભોગવવી પડી હતી.