દેશના રક્ષા પ્રતિષ્ઠાનોને આશા છે કે રાજનાથસિંહ જેવા દિગ્ગજ મંત્રી મળવાથી અગત્યના કામોને ગતિ મળશે. સૈન્ય આધુનિકીકરણની સાથો સાથ લાંબા સમયથી પેન્ડિંગ કેટલાં રક્ષા સુધારાના કામોને ગતિ મળશે. સૈન્ય આધુનિકીકરણની ખૂબ જ જરૂર છે. આ સિવાય ત્રણેય સેવાઓના એક પ્રમુખ જેવા માળખાકીય સુધારાની પણ ઘણા સમયથી રાહ જોવાઈ રહી છે. મોદીના નેતૃત્વવાળી પહેલી NDA સરકારે 2014થી જ આ પડકારોને ઉકેલવાની દિશામાં કેટલાંક અગત્યના પગલાં ભર્યા હતા.
જો કે, દેશના સંપૂર્ણ રક્ષા પ્રબંધનના મરામત માટે જે સાર્થક વ્યવસ્થિત સુધારાની જરૂર છે, તેવા પગલાં હજુ પણ ઉઠાવામાં આવ્યા નથી. પહેલાં જે પગલાં ઉઠાવામાં આવ્યા તે પણ રક્ષા જેવા અગત્યના મંત્રાલયમાં વારંવાર ફેરફારના લીધે અધ્ધરતાલ છે. મોદીના ગત કાર્યકાળમાં પાંચ વર્ષ દરમ્યાન જેટલી બે વખત રક્ષા મંત્રી રહ્યા હતા. આ સિવાય મનોહર પાર્રિકર અને નિર્મલા સીતારમનને પણ મંત્રાલયની કમાન મળી.
ઉલ્લેખનીય છે કે, રાજનાથસિંહનું રાજકીય કદ ખૂબ મોટું છે, તેના લીધે તેઓ કેબિનેટ કમિટી ઓફ સિક્યોરિટીમાં દમદાર દખલ રાખશે. કેટલાંય રક્ષા પ્રસ્તાવ નાણાં મંત્રાલયમાં અટકી જાય છે. આ વખતે નિર્મલા સીતારમણની પાસે નાણાં મંત્રાલય છે જે 20 મહિના સુધી રક્ષા મંત્રી રહી ચૂકયા છે અને જે મંત્રાલયની જરૂરિયાતોને સારી રીતે જાણે છે. તેથી સેનાના પડી રહેલા કામો માટેના નાણાની ફાળવણી જલદી કરશે.
રક્ષામંત્રી તરીકે રાજનાથને તાત્કાલિક જે વસ્તુને પ્રાથમિકતા આપવી પડશે, તે સુરક્ષાબળો માટે પૂરતા દારૂગોળાનો ભંડાર સુનિશ્ચિત કરવો પડશે. દારૂગોળા સિવાય સશસ્ત્ર બળ સબમરીન, લડાકુ વિમાનો, હેલિકોપ્ટર્સ, એર ડિફેન્સ સિસ્ટમ, ચાલીને જતા સેના માટે જરૂરી હથિયારો અને રાત્રિમાં યુદ્ધ માટે જરૂરી સાધનોની કમીથી ઝઝૂમી રહ્યા છે. આ પડકારો આગામી સમયમાં રાજનાથસિંહ સામે પડકાર બની રહેશે.