રાજકોટઃ અસામાજીક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે હવે ફરી એક વખત શહેરમાં હત્યાની ઘટના સામે આવી છે. શહેરના રૈયાધાર વિસ્તારમાં રવિ પરમાર નામના યુવકના માથાના ભાગે પથ્થરના ઘા મારીને હત્યા કરવામાં આવી છે.
આ ઘટનાની જાણ થતા પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી છે. જોકે પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
આ હત્યા યુવતીની છેડતી મુદ્દે કરવામાં આવેલી હોય તેમ પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. ત્યારે હવે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વનું છે કે રૈયાધાર વિસ્તારમાં એક યુવાનની લાશ હોવાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ઘટના સ્થળ પર તપાસ કરાતા યુવક નું નામ રવિ પરમાર હોવાનું બહાર આવ્યું હતું.