નવી દિલ્હી: મુકેશ અંબાણીની JIO ટેલિકોમ માર્કેટમાં ફરીથી ધમાલ મચાવવા માટે નવી ઓફર લોન્ચ કરી છે. પોતાના ગ્રાહકોને દિવાળીની ભેટ આપવા માટે કંપની 'JIO દિવાળી ધના ધન' ઓફર હેઠળ 399 રૂપિયાના પ્લાનમાં ફુલ કેશ બેક આપી રહી છે. આ ઓફરનો ફાયદો ઉઠાવવા માટે પ્રીપેડ કસ્ટમર્સને 12 થી 18 ઓક્ટોબરની વચ્ચે 399 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. જો કે આ પ્લાન 19 ઓક્ટોબરથી લાગૂ થશે.
JIO 399 રૂપિયાના પ્રીપેડ રિચાર્જમાં 100% કેશબેક આપી રહ્યું છે. આ રિચાર્જ પર ગ્રાહકને જિયો એપમાં 50 રૂપિયાના 8 વાઉચર મળશે. એટલે કે 399 રૂપિયા પર 400 રૂપિયાની કેશબેક. આ વાઉચર્સનો ઉપયોગ 309 રૂપિયાથી વધારેના રિચાર્જ પર કરી શકાય છે. જો કોઇ એને ડેટા એડ ઓન રિચાર્જમાં ઉપયોગ કરવા ઇચ્છે છે તો એને 99 રૂપિયાથી વધારેનો ડેટા એડ ઓન વિકલ્પ પસંદ કરવો પડશે. આ વાઉચર્સ 15 નવેમ્બર બાદ પણ ઉપયોગ કરી શકાશે.
આ ઓફર સીમિત સમય સુધી ઉપલબ્ધ છે. જિયો 'દિવાળી ધન ધના ધન' ઓફરનો ફાયદો ઉઠાવવા માટે પ્રીપેડ ગ્રાહતોને 12 થી 18 ઓક્ટોબરની વચ્ચે રિચાર્જ કરાવવું પડશે. એને એડવાન્સ રિસાર્જ માનવામાં આવશે અને ગ્રાહકોના હાલના પ્લાનની સમય મર્યાદા પૂરી થયા બાદ આ પ્લાન લાગૂ પડશે.
399 રૂપિયામાં 3 મહિનામાં ઓલ અનલિમિટેડ પ્લાન ગ્રાહકોને મળશે. એમાં ફ્રી માં વોયસ કોલિંગ મફત SMS રોમિંગ અને STD બધું ફ્રી રહેશે. દરરોજ 1 GB ડેટા પણ ગ્રાહકો ઉપયોગ કરી શકશે. 1 GB બાદ ડેટા સ્પીડ ઓછી થશે પરંતુ એ પણ અનલિમિટેડ હશે.