બધા લોકોને અમીર બનવાનું એક સ્વપ્ન હોય છેતેથી જ તેઓ પૈસાવાળા લોકોની જીવનશૈલી જોઈને પોતે પણ ધનવાન થવાના ઉપાય શોધતા રહે છે.થોડા તુલસીના પાન ધનવાન બનાવી શકે છે. તુલસીના પાન ભગવાન વિષ્ણુને અતિ પ્રિય હોય છે. તુલસીનો છોડ અતિ પવિત્ર માનવામાં આવે છે તેનો ઉપયોગ દરેક શુભ કાર્યમાં કરવામાં આવે છે.
તુલસીનું પાન ઘરમાં રહેલી નકરાત્મક શક્તિઓ દૂર કરે છે અને ધનવાન બનાવે છે તે વાત બહુ ઓછા લોકો જાણતા હતા. તુલસીના કેટલાક પાનનો આ રીતે ઉપયોગ કરવામાં આવે તો ધનવાન બની શકાય છે.
જો ઘરમાં નકારાત્મક શક્તિનો વાસ થયો હોવાનો અહેસાસ થાય તો સૌથી સુતા પહેલા તુલસીના પાંચ પાન પોતાના ઓશિકા નીચે રાખવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને પોઝિટિવ ઉર્જાનો સંચાર થાય છે.
- જે દંપતીને એકબીજા સાથે બનતું નથી અને દરરોજ ઝઘડા થાય છે તેવા લોકોએ તુલસીના પાન પોતાની પાસે રાખવા જોઈએ. આ પ્રયોગ કરવાથી દાંપત્યજીવનમાં ક્યારેય કોઈ અણબનાવ નહિ બને અને સુખ-સમૃદ્ધિ ભરપૂર રહેશે.
- તુલસીપત્ર અતિ પવિત્ર હોય છે ઘરમાં રહેલ નેગેટિવ ઉર્જાને બહાર ફેંકવાનું કામ કરે છે માટે તુલસીના પાન જે સ્થળે રાખવામાં આવ્યા હોય તે સ્થળેથી 24 કલાક બાદ તે પાન બદલવા જોઈએ આ પ્રયોગ સતત 21 દિવસ સુધી કરવો જોઈએ. સૂકા પાનને પાણીમાં વહાવી દેવા જોઈએ.
- તુલસીના 5 પાનને એક લાલ કાગળમાં રાખી તે કાગળ વાળીને પૂજા સ્થળ પર રાખી રોજ તેની પૂજા કરવી જોઈએપૂજા કરતી વખતે પોતાના મનની ઈચ્છા તે પાન સામે સાચા મને બોલવાથી થોડા દિવસમાં મનોકામના પૂર્ણ કરે છે.