નવી દિલ્હી: ચૂંટણી પંચ તરફથી નાગાલેન્ડ. મેઘાલય અને ત્રિપુરા વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્રિપુરામાં 18 ફેબ્રુઆરી અને મેઘાલય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ ચૂંટણી થશે અને મત ગણતરી 3 માર્ચે થશે. ચૂંટણી પંચ પ્રમાણે ત્રણેય રાજ્યોમાં ચૂંટણી બે તબક્કામાં થશે. પ્રેસ કોન્ફરન્સ મુખ્ય ચૂંટણી આયુક્ત અચલ કુમાર જ્યોતિ તરફથી કહ્યું કે આચારસંહિતા અત્યારથી લાગૂ પડી ગઇ છે.
ચૂંટણી પંચ પ્રમાણે ત્રણેય રાજ્યોમાં VVPATથી ચૂંટણી થશે. સાથે દરેક બૂથ પર એક ઇવીએમમાં VVPAT જોડાયેલું હશે. ઉમેદવારો માટે ચૂંટણીમાં ખર્ચની સીમા 20 લાખ રૂપિયા રાખવામાં આવી છે.
ચૂંટણીની જાહેરાત પહેલા મેઘાલયની રાજકીયમાં ઊથલપાથલ ચાલુ છે કારણ કે સત્તરૂઢ એનપીપીના ઘણા ધારાસભ્યોએ પાર્ટી છોડીને ભાજપનો હાથ પકડી લીધો છે. આ રાજ્યમાં 60 સીટો છે અને અહીંયા કોંગેસ ગઠબંધનની સરકાર છે. પરંતુ એ નક્કી માનવામાં આવી રહ્યું છે કે આ વખત કોંગ્રેસનો રસ્તો સરળ નથી.
જાણવા મળી રહ્યું છે કે કોંગ્રેસના વ્યવહારથી રાજ્યના લોકોમાં એમના પ્રત્યે નકારાત્મક ભાવ ફેલાયેલા છે એવામાં આ ચૂંટણી લડાઇ એમની પર ઘણી ભારે પડી શકે છે. તો બીજી બાજુ 60 સીટો વાળી ત્રિપુરાની ભાજપના રાષ્ટ્રીય અધ્ય અમિત શાહ ઘણી રેલીઓ કરી રહ્યા છે. જો કે ત્રિપુરામાં ભાજપની પકડ એઠલી મજબૂત નથી કારણ કે આંકડાઓને જોવામાં આવે તો વર્ષ 2013માં અહીં ભાજપનું ખાતું પણ ખૂલ્યું નહતું.
નાગાલેન્ડમાં પણ 60 સીટો છે અને નાગાલેન્ડ પીપુલ્સ ફ્રંટની સરકાર છે. જે એનડીએનું સમર્થન મળેલું છે.
સૂત્રોએ જણાવ્યું કે મુલાકાતની તારીખ નક્કી થઇ હોવા છતાં રેલીની જગ્યા નક્કી થઇ નથી. રાજ્યમાં પાર્ટીને 60 સીટોમાંથી ઓછામાં ઓછી 35 સીટો પર જીતની આશા છે.