ભારતમાં ચાલી રહેલા વિરોધ અને હંગામાની વચ્ચે સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત' આજે રિલીઝ થઇ ગઇ છે. દીપિકા રણવીર અને શાહિદ સ્ટારર ફિલ્મ 'પદ્માવત'ને પાકિસ્તાનમાં રિલીઝ કરવામાં આવશે. સૂત્રોનુસાર પાકિસ્તાનમાં ફિલ્મને U સર્ટિફિકેટ આપવામાં આવ્યુ છે. પાકિસ્તાને ફિલ્મ સેન્સર બોર્ડે કોઇ પણ કટ વગર આ ફિલ્મને લીલી ઝંડી આપી દીધી છે.
સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સેન્સર પાકિસ્તાનના પ્રમુખે એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યુ કે ફિલ્મ 'પદ્માવત' બતાવવા લાયક છે. ફિલ્મ ડિસ્ટ્રિબ્યૂટર્સ અને કેટલાક ઇતિહાસકારોની સલાહ પછી ફિલ્મને U સર્ટિફિકેટ આપવામાં આવ્ય છે. બતાવી દઇ એ કે ફિલ્મમાં મુસ્લિમ શાસક અલાઉદ્દીન ખિલજીને નેગેટિવ રોલમાં બતાવવામાં આવ્યો છે.
તેમણે આગળ કહ્યુ કે ''અમે રચનાત્મક સ્વંતત્રતા અને લોકોના એન્ટરટેનમેન્ટ માટે કોઇ પણ ફિલ્મની વિરુદ્ઘ નથી. ફિલ્મમાં ઇતિહાસની વાત પણ છે જેથી કેટલાક નિષ્ણાતોની સલાહ લેવામાં આવી છે.''
પાકિસ્તાનમાં બોલિવુડની ફિલ્મોના ડિસ્ટ્રીબ્યૂટર્સ અનુસાર ''આ ફિલ્મને સારો રિસપોન્સ મળશે. આશા છે આગામી એક અઠવાડિયામાં ફિલ્મને સારો રિસ્પોન્સ મળશે.''
ભારતમાં ઘણા શહેરોમાં ફિલ્મ રિલીઝ જરૂર થઇ છે પરંતુ ફિલ્મથી પહેલા દેશમાં અલગ-અલગ રાજ્યો અને શહેરોમાં હિંસા અને વિરોધ થયો હતો.