સુરત: સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ઉમિયાધામ ખાતે આજે આસો સુદ આઠમની મહા આરતીમાં 31 હજારથી વધુ ભક્તો ઉમટી પડ્યા હતા અને અલૌકિક વાતાવરણમાં મહા આરતીનો લાભ લીધો હતોછેલ્લા 24 વર્ષથી યોજાતી મહાઆરતીમાં શહેરના રાજકીય સામાજિક અને વ્યવસાયીક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
વરાછા વિસ્તારમાં આવેલુ ઉમીયા મંદિર સુરતામાં વસતા કડવા પાટીદાર સમાજના લોકોનું આસ્થાધામ છેઅહીંયા આસો એટલે કે શરદીય નવરાત્રીમાં પરંપરાગત ગરબા રમયા છેસાથે સાથે આઠમની મહા આરતીનું આયોજન થાય છેઆરતી પુર્વે ત્રિશુલ મશાલ લઇને નિકળતા ભક્તો અને તેમની સાથે માથે પ્રગટાવેલો ગરબો લઇને નિકળતી મહીલાઓ ધુપ સાથે નિકળતા યુવાનો વાતાવરણને અલૌકીક બનાવે છેતેમની સાથે સાથે ઉપસ્થિત હજ્જારો ભક્તો એક સાથે આરતી પ્રગટાવીને માતાજીની આરાધના કરતાં હોય છેઆ દ્રશ્ય કોઇનાપણ માટે જીવનનું યાદગાર દ્રશ્ય બની રહે છે.
છેલ્લા 24 વર્ષથી અહીંયા પરંપરાગત રીતે ગરબા અને મહાઆરતી યોજાય છેતેમાં સુરતના રાજકીય સામાજિક આગેવાનોની સાથે સાથે કલેક્ટર સહીતના પદાધિકારીઓ પમ ખાસ ઉપસ્થિત રહે છેઆવતા વર્ષે આ ઉત્સવને 25 વર્ષ પુર્ણ થિ રહ્યા છેતેની યાદગાર ઉજવણી કરવા માટે અત્યારથી જ આયોજનો હાથ ધરવામાં આવ્યા છે.
સુરતના ઉમિયાધામમાં યોજાતી આઠમની મહા આરતીનો નજારો એટલો ભવ્ય હોય છે કે જેઓ કડવા પાટીદાર નથી પરંતુ માતાજીમાં આસ્થા ધરાવે છે તેવા સેંકડો લોકો પણ અહીંયા મહા આરતીનો લ્હાવો લેવા માટે આવતા હોય છે.