સુરતના કતારગામમાં વિદ્યાર્થીએ ફીનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે હાહાકાર મચી ગયો હતો.
આ અંગે પ્રાપ્ત થતી વિગતોનુસાર સુરતના કતારગામમાં વિદ્યાર્થીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. હવે આ મામલે શાળાના આચાર્ય ટ્રસ્ટી અને શિક્ષક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. શાળાના આચાર્ય ટ્રસ્ટી અને શિક્ષક સામે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.
શાળાના આચાર્ય ટ્રસ્ટી અને શિક્ષક ફી ભરવા વારંવાર વિદ્યાર્થીને દબાણ કરવામાં આવતુ હોય તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. ત્યારે હવે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.