રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથેજ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ત્યારે આજે રાજકોટ આવેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ગઇકાલે પાસ અને કોંગ્રેસ વચ્ચે યોજાયેલ મીટીંગ અંગે નિવેદન આપ્યુ હતુ અને કોંગ્રસ પર પ્રહારો કર્યા હતા.
તેમણે જણાવ્યુ હતુ કે 'કોંગ્રેસ સમાજને તોડવાની વાતો કરે છે મત માટે તૃષ્ટીકરણ કરે છે. પાટીદાર સમાજ સહિત વિવિધ સમાજ અને જ્ઞાતીને વર્ગ સમુદાયમાં વહેંચી મતોની રાજનીતિ કરવામાં આવી રહી છે જે ગુજરાતની જનતા સ્વીકારશે નહી' આ ઉપરાંત તેમણે ભાજપની જીતનો દાવો કર્યો હતો.