ઘણાં લોકોની એક સમસ્યા હોય છે કે તે અતિશય મહેનત કરે તેમ છતાં તેને સફળતા ના મળે અથવા કરેલુ કામ બગડી જાય. પરંતુ આ સમસ્યાનું નિરાકરણ તમારા હાથમાં છે હવે. જી હાં વાસ્તુ શાસ્ત્રમાં કેટલીક બાબતો એવી આપવામાં આવેલ છે જેને કારણે માનવીના જીવનની સમસ્યાનું નિરાકરણ સરળતાથી આવે. ઘરના રસોડોમાં ઉપયોગમાં લેવાતા કાળા મરી કિસ્મત ચમકાવવામાંટે ખુબ ઉપયોગી છે.
- જો વારંવાર કોઇ કરેલુ કામ બગડતું હોય તો ઘરેથી નિકળતા પહેલા થોડા કાળામરી પર પગ રાખીને ઘરની બહાર નિકળવુ જેના કારણે તમારા અટકી પડેલ કામમાં સફળતા મળશે.
- ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ હોય અથવા ધાર્યુ પરિણામ તમારા કામકાજમાં ના મળતુ હોય તો એક દીવા ની અંદર થોડા કાળા મરી મુકીને તે દિવો પ્રગટાવવાથી ઘરમાં રહેલ નકારાત્મક ઉર્જા ઓછી થાય છે. અને પરિવારમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
- આપણા ધર્મગ્રંથો મુજબ કાળા મરી શનિ દોષનું પણ નિવારણ કરે છે. તેથી એક કપડામાં લઇ તેમા કેટલાક સિક્કા મુક્યા બાદ તેને વિંટાળી તે પોટલી કોઇને દાનમાં આપવાથી શનિદોષનું નિવારણ થાય છે.