શ્રાધ્ધ પક્ષની શરૂઆત થઇ ચુકી છે ત્યારે દરેક લોકો પોતાના સ્વર્ગવાસી સ્વજનોને યાદ કરીને ધાર્મીક કાર્યો પણ કરતા રહે છે ત્યારે પિત્રુ નારાજ ના થાય અને તેમની કૃપા સતત તેમના પર બની રહે તે માંટે આટલી બાબતોને ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે.
શ્રાધ્ધપક્ષમાં આટલું ક્યારેય ન કરો
- દિવસ દરમિયાનક્યારેય ઊંઘ ન લેવી જોઈએ.
- શ્રાધ્ધ પક્ષમાં રોમાન્સથી દૂર રહેવુ વધુ ફાયદાકારક છે.
-પાનનું સેવન ટાળવુ જોઇએ.
- લસણ અને ડુંગળીથી તૈયાર કરાયેલ ખોરાક ન લેવો જોઇએ.
- કાચના વાસણોનો ઉપયોગ કરવો નહીં.
- માંસ અને દારૂનું સેવન કરવુ ન જોઇએ.
- લગ્ન અને અન્ય શુભકામો ન કરવા જોઇએ.
શ્રાધ્ધપક્ષમાં આટલું કરવાથી ખુબ ફાયદો થાય છે
- સૂર્યોદય પહેલાં જાગી જવું જોઇએ.
- જમીન પર ગાદલું મૂકીને ઉંઘ લેવી જોઇએ.
-નિયમિતપણે તુલસીના પાન ખાવા જોઇએ.
-શુદ્ધ ઘીથી બનેલી વાનગી પીત્રુને ધરાવવી જોઇએ.
-ઘરની દક્ષિણ દિશામાં નિયમિત તેલનો દિવો પ્રગટાવવો જોઇએ