મહીસાગરઃ વીરપુરમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ જાહેરસભા યોજી રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધી મંદિરોમાં નમોને લીધે નમતા થયા છે. કોંગ્રેસને વિકાસ કરવામાં કોઈ રસ નથી. આ ચુંટણીમાં ગુજરાતની જનતાને જાતિવાદમાં ધકેલી લડાવવાનું કામ કર્યું છે. ગુજરાત સાથે કોંગ્રેસનું વેર ઘણું જુનું છે.
સરદાર પટેલને કોંગ્રેસના ઘણા નેતા વડાપ્રધાન બનાવાવવા માંગતા હતા પણ જવાહરલાલ નહેરૂએ બનવા ના દીધા અને જાતે બની ગયા હતા.
વીરપુરમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ હીરાની બાલાસિનોર બેઠકના ઉમેદવાર માટે પ્રચાર અર્થે આવી જાહેર સભામાં હાજરી આપી હતી. વિશાળ જનમેદનીને સંબોધતા કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે રાહુલ ગાંધીના મંદિરે મંદિરે દર્શન કરવાના કાર્યક્રમો વિષે બોલતા કહ્યું હતું કે આજે રાહુલ ગાંધી ડાકોરના રણછોડજી મંદિરે દર્શન કરવા ગયા હતા.
ત્યાં ઉપસ્થિત જનમેદનીએ મોદી મોદીના નારા સાથે સ્વાગત કર્યું હતું. રાહુલ ગાંધી મંદિરોમાં નમે છે એ નમોને લીધે નમતા થયા છે. અમેઠીનો અને વંશવાદનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે નહેરુથી માંડી રાહુલ સુધી અમેઠીમાંથી ચૂંટાઈ આવ્યા પણ ટ્રેનના આવી અને અહીં ગુજરાતમાં ટ્રેનની કરે છે. કોંગ્રેસને વિકાસ કરવામાં કોઈ રસ નથી.
આ ચુંટણીમાં ગુજરાતની જનતાને જાતીવાદમાં ધકેલી લડાવવાનું કામ કર્યું છે. ગુજરાત સાથે કોંગ્રેસનું વેર ઘણું જુનું છે સરદાર પટેલને કોંગ્રેસના ઘણા નેતા વડાપ્રધાન બનાવાવવા માંગતા હતા પણ જવાહરલાલ નહેરુએ બનવા ના દીધા અને જાતે બની ગયા.