વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે તમામ પાર્ટીઓએ એડીચોટીનું જોર લગાવી દીધું છે. ત્યારે ગુજરાતની 182 બેઠક ઉપર જનવિકલ્પ ચૂંટણી લડશે તેવું શંકરસિંહ વાઘેલાએ મીડિયા સમક્ષ આપ્યું છે નિવેદન. જનવિકલ્પના સદસ્યો સાથે ગુજરાતમાં મહત્વની મીટિંગ યોજાઈ રહી છે. તો બાપુએ ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.
બાપુએ વધુમાં ચૂંટણીમાં મતદારોને આકર્ષવા ઢંઢેરો પીટયો હતો. ત્યાં બાપુએ જણાવ્યું હતું કે જનવિકલ્પની સરકાર આવશે તો સરપંચોને માસિક 5 હજારનો હાથ ખર્ચ આપશે. સાથેજ પંચાયતના બિલ પાસ કરવાની જૂની પદ્ધતિ અપનાવશે. રાજકોટ ભાવનગર રોડ તાત્કાલિક રીપેર કરાશે. કચ્છ માતાનો મઢ દ્વારકા સોમનાથ હાજીપીર ખોડલધામ વગેરેના વિકાસ માટે સૌરાષ્ટ્રનું અલગ સચિવાલય બનાવશે. સમયાંતરે સૌરાષ્ટ્રમાં એક કેબિનેટ મળશે. મગફળી અને કપાસમાં ઊંચા ભાવ આપવામાં આવશે. મગફળીમાં 1200 અને કપાસમાં 1500 અપાશે. બેરોજગાર માટે 3 થી 5 હજારનું ભથ્થું 10 લાખ યુવાઓને નોકરી આપવામાં આવશે. રોટી કપડાં ઉપર GST દૂર થવું જોઈએ. પેટ્રોલ ડિઝલમાં અને ગેસમાં 10 ટકા વેટનો ઘટાડો કરશે અનામતમાં 25 ટકા અલગ ઠરાવ કરશે તેમ ઘોષણા કરી હતી.