મુંબઇ: શાહિદ કપૂર હાલમાં એની આવનારી ફિલ્મ 'પદ્માવતી' માટે લાઇમલાઇટમાં છે. આ ફિલ્મ માટે એ તલવારબાજી શિખી રહ્યા છે. હાલમાં શાહિદનો એક ફોટો વાયરલ થઇ રહ્યો છે જેમાં એ એના કોચ સાથે તલવારબાજી શીખી રહ્યો છે. શાહિદે ફિલ્મ માટે આશરે 24-25 દિવસ તલવારબાજીની ટ્રેનિંગ લીધી છે. તલવારબાજીની સાથે સાથે એ ઘણા બીજા હથિયારો સાથે લડવાની પણ ટ્રેનિંગ લઇ રહ્યો છે.
શાહિદ ફિલ્મમાં ઘણા ભાગમાં શર્ટલેસ જોવા મળશે જો કે એને પોતાની બોડી પણ બનાવી છે. સંજય લીલા ભંસાલીની ફિલ્મ પદ્માવતીમાં શાહિદ ચિત્તોડના રાજા રતન સિંહનું કિરદાર પ્લે કરી રહ્યો છે. આ રોલ માટે શાહિદે ખૂબ જ મહેનત કરી છે. શાહિદનું રાજા રતન સિંહ રૂપમાં લુક સામે આવી ગયું છે.
25 સપ્ટેમ્બરની સવારે 6 વાગ્યેના 28 મિનીટ પર ફિલ્મ પદ્માવતીનવા ચ્વિટર અકાઉન્ટથી શાહિદનું રાજા રતન સિંહ અવતાર શેર કરવામાં આવ્યો. શાહિદ પહેલી વખત કોઇ હિસ્ટોરિકલ ફિલ્મમાં કામ કરી રહ્યો છે. તમને જણાવી દઇએ કે શાહિદની આ ફિલ્મ 1 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે.