ગાંધીનગર: ઠાકોર સમાજના અગ્રણી રોહિત ઠાકોરને દહેગામથી ભાજપે ટિકિટ નહી ફાળવતા તેમના સમર્થકોમાં નારાજગી જોવા મળી.
રોહિત ઠાકોરના સ્થાને ભાજપે અન્ય ઉમેદવારને ટિકિટ ફાળવતા ઠાકોરના સમર્થકો નારાજ થયા છે. રોહિતજીના ટેકેદારોએ ભાજપ મુખ્યાલયે જઈને વિરોધ પણ કર્યો હતો.
અને ચિમકી ઉચ્ચારી હતી કે જો રોહિતજીને દેહગામમાંથી ભાજપ મેદાને નહી ઉતારે તો સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજ ચૂંટણીનો બહિષ્કાર કરશે.
ઠાકોર સમાજના લોકોએ કમલમ પહોંચીને રોહિત ઠાકોરની તરફેણમાં દેખાવો કર્યા હતા.
ઉલેલેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ-તેમ ગુજરાતનું રાજકારણ ગરમાતું જાય છે. પક્ષમાંથી કેટલાક ઉમેદવારોને ટિકિટ નહિ મળતા પક્ષ છોડીને અન્ય પક્ષ સાથે જોડાઈ જાય છે તો કેટલાક ઉમેદવારો પક્ષમાટે કામ પ્રમાણમાં ઓછું કરતા જાય છે. ત્યારે આજે ઠાકોર સેનાએ દવારા રોહિતજી ઠાકોરને ટિકિટ નહિ મળતા ભાજપના શ્રીકમલમ ખાતે વિરોધ કરવા ઉમટી પડ્યા હતા.