બનાસકાંઠાઃ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. બનાસકાંઠામાં આજે કરાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત્ કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીનો આ પ્રવાસ સૌથી મહત્વનો માનવામાં આવી રહ્યો છે. કારણ કે ઉત્તર ગુજરાત પીએમ મોદીનો ગઢ મનાય છે. રાહુલ ગાંધી સતત બીજેપીના સમર્થક મનાઇ રહેલા પાટીદાર વોટબેન્કમાં બાજીમારવાનો પ્રયાસ કર રહ્યા છે.
જો કે આજ સુધી તેમણે આ મામલે દરેક રીતે સફળતા નથી મળી રહી. પરંતુ પાટીદાર સમાજ હવે ધીરે-ધીરે રાહુલ ગાંધી તરફ વળી રહ્યો હોઇ તેવું નજરે પડે છે. આ ક્રમમાં રવિવારે બનાસકાંઠામાં પાટીદાર નેતાઓમાં પોતાના સમાજની ટોપી પહેરાવીને સન્માન પણ કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીને યુવકોએ જે ટોપી પહેરાવી તેના પર 'જય સરદાર જય પાટીદાર' લખેલું હતું.
રાહુલ ગાંધીએ શિવજીનું ઉદાહરણ આપ્યું
વર્ષોથી પોતાના વિશે વિવિધ પ્રકારની નિંદા સાંભળનારા રાહુલ ગાંધીએ છેલ્લે બનાસકાંઠામાં મૌન તોડ્યું હતું. રાહુલ ગાંધીથી જે બનાસકાંઠામાં પૂછવામાં આવ્યું કે ભાજપના લોકો તેમને ખરાબ બોલે છે.
તેના જવાબમાં તેમણે કહ્યું કે 'આપે શિવજીનું નામ સાંભળ્યું છે. મારૂ સત્ય છે તે હું જાણું છું. મારી નેગેટિવ છાપ બનાવવામાં ભાજપ જેટલા પણ રૂપિયા લગાવી દે પરંતુ મારૂ સત્ય એક દિવસ લોકોને દેખાડીશ. અમારી પાસે કંઇ વધારે નથી પરંતુ સૌથી મોટી વસ્તું સચ્ચાઇ છે.'