પાટણઃ રાધનપુરમાં એક યુવાનની હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે. બસ સ્ટેન્ડથી ભાભરના માર્ગ પર કેનાલ પરથી યુવકની લાશ મળી આવી છે. યુવકના લાસને માથાના ભાગે ગંભીર ઇજાના નિશાન હતા. જોકે સમગ્ર બનાવને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે યુવકના માથાનાં ભાગમાં ઉજા પહોંચી છે ત્યારે તેની હત્યા થઇ છે કે અકસ્માતે મૃત્યુ જેની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. યુવકની લાશ ભાભર માર્ગની કેનાલ પાસેથી મળી આવી છે. આ યુવક રાધનપુરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે યુવકના માથાનાં ભાગમાં ગંભીર ઇજાના નિશાન છે. જેની વધુ તપાસ હાથ ધરાઇ છે.