નવી દિલ્હીઃ 7 વર્ષ સુધી પીએનબી કૌભાંડ ચાલતું રહ્યું. પરંતુ આર.બી.આઈ અને નાણામંત્રાલયને આ વાતની ખબર સુદ્ધ લાગી નહીં. પીએનબીમાં થયેલા 11 300 કરોડના કૌભાંડમાં રોજબરોજ નવા ખુલાસા થાય છે. જો પીએનબીએ આરબીઆઈની સલાહ માની હોત તો કદાચ આ રીતે કૌભાંડ શક્ય ન બન્યા હોત.
બાંગ્લાદેશના હેકર્સે સ્વીફ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો
2016માં બાંગ્લાદેશના સેન્ટ્રલ બેંકમાં હેકર્સે સ્વીફ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આશરે 525 કરોડની હેરાફેરી કરી હતી. આ વાતની ખબર ભારત સેન્ટ્રલ બેંક આરબીઆઈને લાગી હતી. RBIએ આ મામલે તમામ ભારતીય બેંકને ચેતવણી આપી હતી. આરબીઆઈએ બેંકોને પોતાના કોમ્પ્યુટર નેટવર્કને સુરક્ષિત રીતે સ્વીફટ સોફ્ટવેરથી જોડવાનું કહ્યું હતું.
જેથી બાંગ્લાદેશની જેમ છેતરપિંડીની કોઈ શક્યતા ન રહે. પી.એન.બીના કર્મચારીઓએ બેંકની સિસ્ટમમાં ગરબડીનો ફાયદો ઉઠાવી 5 વર્ષ સુધી છેતરપિંડી કરી હતી. તેને કારણે જ 11 300 કરોડનું કૌભાંડ સહેલાઈથી થઈ શક્યું. એક રિપોર્ટ પ્રમાણે સ્વીફ્ટ ટેક્નોલોજી અને પીએનબીના બેંક સર્વરનો કોઈ તાલ મેલ ન હતો.
એક્સપર્ટોનું માનીએ તો આ સમગ્ર કૌભાંડમાં નબળી ટેક્નોલોજી જવાબદાર છે. જો આ કૌભાંડ પાંચ વર્ષ પહેલાથી ચાલતું હતું. તે સમયે સામે આવી જતું તો 5 હજાર કરોડ અંદરનો આંકડો સામે આવતો અને મોટા કૌભાંડ માંથી બચી શકાય તેમ હતું.
11 300 કરોડનું કૌભાંડ સહેલાઈથી થઈ શક્યું
પીએનબીના કર્મચારી ગોકુલાનાથ શેટ્ટીએ નીરવ મોદી અને તેમના સહયોગીઓને વિદેશથી લોન લેવાની ગેરંટી આપી હતી. આ ગેરંટી 2011 થી 2016 વચ્ચે વગર ગેરંટીએ આપી હતી. જયારે 2011થી 2017ના શરૂઆતમાં લગભગ 6 500 કરોડ નીરવ મોદી અને તેમના સહયોગીઓને આપી હતી.
2017ના માર્ચ અને મે મહિનામાં પીએનબીના કર્મચારી ગોકુલનાથની મદદથી વધુ 4 900 કરોડ આપવામાં આવ્યા હતાં. બેંકનું કોમ્યુટર નેટવોર્ક સ્વીફ્ટ ટેકનોલોજીના હિસાબે અનુકુળ ન હતું. શરૂઆતમાં આરબીઆઈએ સ્વીફ્ટ ટેકનોલોજી અને બૈકિંગ સોફ્ટવેરને એકબીજાના અનુકુળ બનાવવા જોઈએ.
બાંગ્લાદેશમાં બનેલી ઘટના બાદ આરબીઆઈએ ભારતની તમામ બેંકને ચેતવણી આપી હતી. તેમ છતા તેનો અમલ ન થતા આ પ્રકારના કૌભાંડ થયા છે. સ્વીફ્ટ સોફ્ટવેર રકમોની હેરાફેરી પર નજર રાખે છે. આ પ્રકારની ગેરરીતિ થતી અટકાવી શકાય છે.