ગુજરાતના વદરાડ ખાતે સર્વપ્રથમ ઇઝરાયેલ ટેકનોલોજી ધરાવતું શાકભાજી કેન્દ્ર બનાવવામાં આવ્યુ છે.વદરાડ ખાતે ખેતી માટે ઇન્ડો-ઈઝરાયેલના સહયોગથી અધતન મશીનરીનો ઉપયોગ કરવામાં આવે છે.ત્યારે આજે PM મોદી નરેન્દ્ર મોદી અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ વદરાડની મુલાકાત લેશે.
ઉલ્લેખનીય છે કે હાલમાં તાલાળામાં મેંગો ઉત્કૃષ્ટતા કેદ્ર શરૂ કરવામાં આવ્યુ છે અને ભુજમાં પણ ખારેકનું ઉત્કૃષ્ટતા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યુ છે આ બન્ને કેન્દ્રનું ઉદ્ઘાટન બન્ને વડાપ્રધાન રીમોટ દ્વારા વદરાડથી કરશે.આપને જણાવી દઇએ કે ઈન્ડો-ઈઝરાયલ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતનું આ સૌપ્રથમ સેન્ટર ઓફ એસલન્સ ફોર વેજીટેબલ કેન્દ્રની સ્થાપના વર્ષ-2013માં કરવામાં આવી હતી.
જેની મુખ્ય કામગીરી શાકભાજીની ખેતીની વિવિધ પદ્ધતિઓની તાલીમ રાહતદરે રોગ મુત ધરૂ ઉછેર શાકભાજી પાકો તથા તેની જાતોના નિદર્શનો ગ્રીનહાઉસ તથા નેટહાઉસના પાકોના નિદર્શન અને માહિતી શાકભાજીની રક્ષિત ખેતી માટે નવી જાતોનું ક્રિનીંગ કરવું ચોકસાઈપૂર્વક ખેતી વિશે નિદર્શન અને સમજણ આપવી શાકભાજીના ગ્રેડીંગ પેકિંગ અને કાપણી પછીના વ્યવસ્થાપન માટેની શ્રૃંખલાનું નિદર્શન કરવું જેવી કામગીરી ઉપરાંત અહીં ઇન્ડો-ઇઝરાયેલ ટેકનૉલોજીની આપ-લે પણ થાય છે.
ભારતની 6 દિવસીય મુલાકાતે આવેલ ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂ આજે ગુજરાતની ખાસ મુલાકાતે આવ્યા છે.ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે તેમનું સ્વાગત કર્યુ હતું.
આ સાથે ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલી અને ગુજરાતના મુખ્યપ્રધાન અન્ય દિગ્ગજ નેતાઓ ખાસ હાજર રહ્યા હતા.આપને જણાવી દઇએ કે ઇઝરાયેલના વડાપ્રધાન અને PM મોદી ગુજરાતમાં વિવિધ કાર્યક્રમમાં ભાગ લેવાના છે અને બંને મહાનુભાવ આજે 8 કલાક જેટલું ગુજરાત રોકાણ કરવાના છે.